રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રક્ષામંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ કરી દે. બિહારની રાજધાની પટનામાં આર્ટિકલ 370 પર સંબોધન કરતા કહ્યું કે અનુચ્છેદ 370 એવુ કેન્સર હતું જેણે કાશ્મીરનું લોહી વહાવ્યું.
રાજનાથ સિંહે કહ્યું - પાક સાથે માત્ર પીઓકે પર વાતચીત થશે
રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાને વાતચીત કરવી છે તો આતંકવાદ ખતમ કરે. રાજનાથ સિંહે કહ્યું કે હવે પાકિસ્તાન સાથે વાત થશે તો, કાશ્મીર પર નહીં, પરંતુ પીઓકે પર થશે. એમણે ચેતવણી આપી કે 1965 અને 1971ની ભૂલ ન કરે નહીંતર તેના ટુકડા થઇ જશે.
પટનામાં ભાજપના 'જન જાગરણ સભામાં' રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આશા કરીએ છીએ કે પાકિસ્તાન 1965 અને 1971ની ભૂલ નહીં કરે, તેમની સાથે માત્ર પીઓકે પર વાતચીત થશે. અનુચ્છેદ 370 પર ભાજપે પોતાનું વલણ ક્યારેય નરમ નથી કર્યું. તેને દુર કરવી સાબિત કરે છે કે પાર્ટી ઇમાનદાર અને વિશ્વસનીય છે.
રાજનાથ સિંહે કહ્યું કે જમ્મૂ કાશ્મીરની જનતા અનુચ્છેદ 370ની મોટાભાગના જોગવાઇ દૂર કરવાના પક્ષમાં હતી. એમણે કહ્યું કે જોઇએ છે કે પાકિસ્તાન કેટલા આતંકવાદી મોકલી શકે છે, કોઇ પાછુ નહીં જઇ શકે.