ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ રહ્યા ઉપસ્થિત, કહ્યું સ્પેશ, સાયબર, અર્થ વ્યવસ્થા, શિક્ષણની સુરક્ષા ખૂબ જરૂરી...
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પદવીદાન સમારોહ
પદવીદાનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ સુચક નિવેદન
"આતંકીઓને બહારના દેશોમાંથી ફન્ડિંગ મળે છે"
કેન્દ્રીય રક્ષા મંત્રી ગુજરાતના પ્રવાસે છે કેન્દ્રીય રક્ષા મંત્રી આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો બીજા પદવીદાન સમારોહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પદવીદામ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતાં. આ પદવીદાન સંમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 319 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 23 ડિપ્લોમાં અને 44 PG ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ કેન્દ્રીય રક્ષા મંત્રીના હસ્તે 123 UGના, 126 PGના વિદ્યાર્થીઓને ડિગ્રી અને પદવી તેમજ એક એમ.ફીલ અને બે પીએચડી સ્કોલરને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં દેશની સિક્યુરિટી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું
રાજનાથ સિંહનુ નિવેદન
પદવીદાન સમારોહ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ગુલામીની માનસિકતા દૂર કરવા આપણે આઝાદી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ભારતની આઝાદી માટે વીરોએ કુરબાની આપી છે તે અમર જવાનો છે. તેમણે દેશની સિક્યુરિટી મુદ્દે જણાવ્યું હતું કે, દેશમાં સિક્યુરિટીમાં અનેક બદલાવ આવ્યા છે. તેમણે આતંકીઓ પર વાત કરતા કહ્યું હતું કે, આતંકીઓને બહારના દેશોમાંથી ફન્ડિંગ મળે છે. તેમણે કહ્યું હતું કે, દરેક એજન્સીઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
"ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે"
પદવીદાન સમારોહમાં રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ દ્વારા ખોટી અફવા ફેલાવવામાં આવે છે. તેમણે આંતકીયોને બહારના દેશથી ફન્ડિગ મળી રહ્યું છે તેવી પણ વાત કરી હતી તેમજ તેમણે કહ્યું હતું કે, દરેક એજન્સીઓએ સાથે મળીને કામ કરવાની જરૂર ખૂબ જરૂરી છે. સ્પેશ, ડેલ્ટા, સાયબર, અર્થ વ્યવસ્થા, શિક્ષણની સુરક્ષા ખૂબ જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજનાથ સિંહ જણાવ્યું હતું કે, નવા નવા સિક્યુરિટી પડકાર આવે છે સતર્ક રહેવાની જરૂર છે.