અમેરિકાથી આવ્યા બાદ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું કે જે લોકો કાશ્મીરની સાથે છે તેઓ જેહાદ કરી રહ્યા છે. પાકિસ્તાન કાશ્મીરીઓનું સમર્થન કરશે. તો પાકિસ્તાન તરફથી વારંવાર અપાતી ધમકીને લઈને રાજનાથ સિંહે કહ્યું કે નૌસેનાની સેકેંડ સ્ટ્રાઈક મહત્વની છે. સશસ્ત્ર સેના પરમાણુ હથિયારથી જવાબી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.
આઈએનએસ વિક્રમાદિત્યમાં 24 કલાક રહ્યા રાજનાથ સિંહ
26/11 ફરી નહીં થવા દઈએઃ રાજનાથ
કાશ્મીરીઓનો સાથ આપીને કરશું જેહાદઃ ઈમરાન
26/11ને ફરી નહીં થવા દઈએઃ રાજનાથ
રાજનાથ સિંહે આઈએનએસ વિક્રમાદિત્યને કહ્યું કેભારત ક્યારેય મુંબઈ હુમલો ભૂલી નહીં શકે, એક વાર ભૂલ થઈ બીજી વાર ભૂલથી પણ ભૂલ નહીં થાય. સેના સતર્ક રહેશે. સીમા પર આતંકવાદની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે પડોશી દેશ ભારતને અસ્થિર કરવાની યોજના બનાવી રહ્યું છે. વિશ્વનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષાના પૂરતી વ્યવસ્થા રાખે છે અને સાથે આપણે પણ આતંકી હુમલાની શક્યતા નકારી શકતા નથી.
ઈમરાને છેડ્યો કાશ્મીર રાગ, કહ્યું આવું
અમેરિકાથી પરત ફર્યા બાદ ઈમરાન ખાને કાશ્મીર રાગ છેડ્યો છે. તેઓએ કહ્યું કે કાશ્મીરીઓે સાથ આપીશું અને જેહાદ કરીશું, જે લોકો કાશ્મીરીઓ સાથે ઊભા છે તે જ જેહાદ કરી રહ્યા છે. વિશ્વ ભલે કાશ્મીરીઓની સાથે ના હોય તો પણ વાંધો નથી. પાકિસ્તાન હંમેશા કાશ્મીરીઓનો સાથ આપશે. આવું અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે અમે અલ્લાહને ખુશ કરવા ઈચ્છીએ છીએ.વધુમાં ઈમરાને કહ્યું કે જો સાથ ના આપો તો આશા પણ રાખવી જોઈએ નહીં. કાશ્મીરીઓ પાસેથી અમને ઘણી આશા છે. અમે એક દિવસ ચોક્કસ જીતીશું.
બ્લૂ વોટર નેવી બનાવવાની ઈચ્છાઃ રાજનાથ
રાજનાથ સિંહે કહ્યું કે તેમની સરકાર ઈચ્છે છે કે ભારતીય સેનાને વિશ્વમાં બ્લૂ વોટર નેવીના નામથી ઓળખવામાં આવે. બ્લૂ વોટર નેવી એવી નૌસેનાને કહેવાય છે જે વૈશ્વિક સ્તરે તટરેખાથી લઈને સમુદ્ર સુધી કાર્યવાહી કરવા સક્ષમ હોય.
#WATCH Defence Minister Rajnath Singh fired medium machine gun on-board INS Vikramaditya, earlier today. pic.twitter.com/8EnkZrusvf
રાજનાથ સિંહે આઈએનએસ વિક્રમાદિત્ય જંગી પોત પર જવાનોને કહ્યું કે તેઓ જાણે છે કે બાલાકોટ હુમલાના સમયે નૌસેનાનો પશ્ચિમ વિભાગ તરત જ સક્રિય બન્યો હતો. અને વિરોધીઓને નાકામ કર્યા હતા. જો પરમાણુ યુદ્ધ થશે તો નૌસેનાની સેકેંડ સ્ટ્રાઈક ક્ષમતા મુખ્ય રહેશે. રક્ષામંત્રીએ સૈનિકોની સાથે રવિવારે સવારે યુદ્ધાભ્યાસ કર્યો અને સાથે કહ્યું કે યોગને ભારત જ નહીં પણ વિશ્વમાં સ્વીકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈએનએસ વિક્રમાદિત્યમાં 24 કલાક રહ્યા રાજનાથ સિંહ અને સાથે મશીન ગનથી કર્યું ફાયરિંગ.