રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, જો ભારત અને ચીન વિવાદ પર સરકારે સમગ્ર જાણકારી આપી તો, દરેક ભારતીયોની છાતી ગજગજ ફુલશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન વિવાદ પર આપ્યું મોટુ નિવેદન
પુણેમાં એક કાર્યક્રમમાં કહી હતી આ વાત
ભારત માટે કહી છે આ વાત
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, જો ભારત અને ચીન વિવાદ પર સરકારે સમગ્ર જાણકારી આપી તો, દરેક ભારતીયોની છાતી ગજગજ ફુલશે. રાજનાથ સિંહે શુક્રવારે પુણેમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, જો અમે ભારત અને ચીનના 2020ની આમને સામને થયેલી સમગ્ર જાણકારી આપી તો, દરેક ભારતીયોને છાતી ગજગજ ફુલશે. દેશના જવાનો પર વધુમાં વધુ ગર્વ કરવા લાગશો. રાજનાથ સિંહે આ ઉપરાંત એવું પણ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યો છે. વિશ્વ પટલ પર ભારતનું કદ વધ્યું છે.
ભારત અને ચીન વિવાદ પર વધારે નહીં કહું- રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે, ભારત-ચીન આમને સામને વિવાદ, તેના પર વધારે નહીં કહી શકું, કારણ કે જે રીતે આપણી સેનાએ સાહસ બતાવ્યું છે અને શાનદાર કામ કર્યું છે, હું ફક્ત એટલુ જ કહીશુ કે, જો સમગ્ર જાણકારી આપીશ તો, દરેક ભારતીયોની છાતી ગજગજ ફુલશે. ગત મહિના રક્ષામંત્રીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, જો નુકસાન થયું તો ભારત કોઈને નહીં છોડે.
દુનિયામાં વધી રહ્યું છે ભારતનું કદ- રાજનાથ સિંહ
તેની સાથે રાજનાથ સિંહે કહ્યું કે, રશિયા-યુક્રેન સંકટ દરમિયાન, આપણા પ્રધાનમંત્રી મોદીની વાતોનું માન અને કદ વધ્યું છે. કારણ કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પ્રધાનમંત્રી મોદીએ આગ્રહ કર્યો હતો કે, જ્યાં સુધી દરેક ભારતીય યુક્રેનમાંથી નિકળી ન જાય ત્યાં સુધી યુદ્ધવિરામ રાખો અને એવું જ થયું. જ્યાં સુધી ભારતીયોને નિકળી ન ગયા, ત્યાં સુધી યુદ્ધવિરામ રહ્યું. દુનિયામાં ભારતનું કદ વધ્યું છે.
શું છે ભારત-ચીન વિવાદ
ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગતિરોધ 5 મે 2020થી બંધ કરી દેવામા આવ્યો છે. જ્યારે બંને પક્ષ પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ સરોવર વિસ્તારમાં હિંસક અથડામણ થઈ હતી. 15 જૂન 2020ના રોજ ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો, આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો અને કેટલાય ચીની સૈનિકો માર્યા ગયા હતા.પૂર્વી લદ્દાખમાં ગતિરોધનો હલ કાઢવા માટે બંને દેશોએ અત્યાર સુધીમાં કેટલીય કૂટનીતિક અને સૈન્ય સ્તરની વાર્તા કરી છે.