દિલ્હીમાં સેનાના નવા ભવનનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. પૂજા પાઠ સાથે આ ભવનનો શિલાન્યાસ કર્યો. અહીં ભારતીય સેનાનું મુખ્યાલય બનશે. 7.5 લાખ વર્ગ મીટરમાં બનનારા આ ભવનથી દેશની સેનાના એકશન પર નજર રાખવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છેકે આ ભવન આગામી 5 વર્ષમાં તૈયાર થઇ જશે.
સેના ભવનમાં બનશે 6014 ઓફિસ
રાજનાથસિંહે કર્યો શિલાન્યાસ
દરેક ધર્મના ગુરૂઓએ કર્યો શિલાન્યાસ
સેના ભવન મુખ્યાલયના શિલાન્યાસના અવસર પર રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે મહાશિવરાત્રીના અવસર પર સેના ભવન મુખ્યાલયનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આજે શિલાન્યાસના અવસર પર બધા ધર્મના ધર્મગુરૂ અહી ઉપસ્થિત રહ્યાં છે. આપણા પ્રમુખ ધર્મોના ધર્મગુરુઓએ પોત-પોતાની રીતે શિલાન્યાસ કર્યો છે.
A multi-faith prayer held at the foundation stone laying ceremony of the Thal Sena Bhawan in Delhi. pic.twitter.com/BwKHCQSFGe
ખરેખર, મોદી સરકાર દ્વારા નવા સેન્ટ્રલ-વિસ્ટા પ્લાનની હેઠળ સાઉથ બ્લોકને મ્યૂઝિયમમાં તબદીલ કરવાનું છે. આ કારણોસર સાઉથ બ્લોક સ્થિત (થલ) સેના પ્રમુખ અને બીજા મહત્વ ડાયરેક્ટ્રેટસને ખાલી કરવું પડશે. જેને લઇને સેના માટે નવા મુખ્યાલય બનાવાની તૈયારી છે. આ સિવાય થલ સના ઘણા વર્ષોથી મોટા મુખ્યાલયની માગ કરી રહી હતી.
સેના ભવનમાં બનશે 6014 ઓફિસ
7.5 લાખ વર્ગ મીટરમાં બનનારા આ સેના ભવનમાં 6014 ઓફિસ હશે, જેમાં 1684 સેના અને અસૈનિક અધિકારીઓ માટે અને 4330 ઉપ-કર્મચારીઓ માટે હશે. જેનાથી યુવાઓને રોજગારીની તકો ઉભી થશે. આ પ્રસ્તાવિત ભવન 5 વર્ષમાં બનીને તૈયાર થશે.