રક્ષામંત્રી રાજનાથ સિંહ એક દિવસીય જમ્મુ પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણે કારગિલના શૌર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ પ્રવાસે પહોંંચ્યા
અહીં શૌર્ય વીરોને શ્રદ્ધાંજલિ આપી
પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ અંગે કરી ટિપ્પણી
રક્ષામંત્રી રાજનાથ સિંહ એક દિવસીય જમ્મુ પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણે કારગિલના શૌર્ય વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે, ભારતની એકતા, અખંડિતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે ભારતીય સેના અને સુરક્ષાદળોએ જે બલિદાનો આપ્યા છે, તેની જેટલી ચર્ચા કરવામાં આવે તેટલી ઓછી છે. હું બલિદાનીઓના માતા-પિતાના શિશ ઝૂકાવીને નમન કરુ છું, જેમણે આવા બહાદુરોને જન્મ આપ્યો. સિંહે કહ્યું કે, આઝાદી બાદ ભારતને પાંચ યુદ્ધ લડવા પડ્યા. તેમાં 1948નો હુમલો, 1962માં ભારત-ચીન યુદ્ધ ત્યાર બાદ 1965 અને 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ અને સૌથી અંતમાં 1999માં કારગિલ યુદ્ધ, જે એક ફુલ સ્કેલ વોર પાકિસ્તાન સાથે લિમિટેડ વોર હતું.
J&K | Will remember those who laid their lives in service of country. Our Army has always made this supreme sacrifice for country. Several of our brave soldiers laid their lives in 1999 war, I bow down to them: Defence Minister Rajnath Singh in Jammu to mark #KargilVijayDiwaspic.twitter.com/VWvbeoJ2Pz
તેમણે કહ્યું કે, આ પાંચ યુદ્ધમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો આ સમગ્ર વિસ્તાર મેન વોર થિયેટર રહ્યો છે. આઝાદી બાદથી આ સમગ્ર વિસ્તારમાં દેશના દુશ્મનોની દ્રષ્ટિ રહેલી છે. પણ ભારતીય સેનાએ અદ્ભૂત પરાક્રમ અને બલિદાનનો પરિચય આપતા દર વખતે દુશ્મનોના ઈરાદા પર પાણી ફેરવી દીધું છે. તો વળી 1962માં યુદ્ધ પર વાત કરતા રક્ષામંત્રીએ કહ્યું કે, 1962માં ચીને લદ્દાખમાં આપણા વિસ્તાર પર કબ્જો જમાવ્યો, તે સમયે પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રધાનમંત્રી હતા. હું નહેરુના ઈરાદા પર સવાલ નહીં ઉઠાવું, તેમના ઈરાદા સારા રહ્યા હશે, પણ તેની નીતિઓ સારી નહોતી. જો કે, આજનું ભારત દુનિયાનો શક્તિશાળી દેશોમાં સામેલ છે.