પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનમાં બે જવાન શહીદ થયા હતા. એનો જવાબ આપતા ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાનો નાશ કર્યો છે. હવે પાકિસ્તાને પણ એમને થયેલા નુકસાનની વાત માની નથી. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવત સતત સંપર્કમાં છે.
પાકિસ્તાન તરફથી થયેલી ગોળીબારનો ભારતીય સેનાએ કરારા જવાબ આપ્યો છે
મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવત સતત સંપર્કમાં છે
ભારતની જવાબી કાર્યવાહીમાં POK સ્થિત 7 આતંકી કેમ્પ ધ્વસ્ત થયા હોવાની માહિતી છે.
આ કાર્યવાહીમાં 22 આતંકવાદીઓ અને 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી મળી છે.
જમ્મૂ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં પાકિસ્તાનની ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને રક્ષા મંત્રાલય પણ એલર્ટ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સ્થિતિ પર સતત સેના પ્રમુથ જનરલ બિપિનવ રાવત સાથે સંપર્કમાં છે. તો બીજી બાજુ પાકિસ્તાને પણ સ્વિકાર્યું છે કે ભારતના હુમલામાં એને ભારે નુકસાન થયું છે. નોંધનીય છે કે પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી એવા સમયે કરી હતી જ્યારે સોમવારે રક્ષા મંત્રી અને આર્મી ચીફ લદ્દાખ પ્રવાસ પર જવાના છે.
પાકિસ્તાની સૈનિકોએ આજે સવારે આતંકવાજીઓને ભારતીય સીમા પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો, આતંકી ઘૂસણખોરોને કવર આપવા માટે તાબડતોડ ફાયરિંગ પણ કર્યું. એના જવાબમાં ભારતીય સેનાએ પાક અધિકૃત કાશ્મીર સ્થિત આતંકવાદીઓના લૉન્ચ પેડ્સને જ નિશાનો બનાવવાનું શરૂ કરી દીધું. રિપોર્ટ્સ પ્રમાણે આ કાર્યવાહીમાં પીઓકેમાં 7 આતંકી અડ્ડાનો નાશ કરવામાં આવ્યો. ભારતીય સેનાની ગોળીબારીમાં 22 આતંકીઓ અને આશરે 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાની માહિતી છે.
Sources: Defence Minister has spoken to Army Chief General Bipin Rawat over the situation following the ceasefire violation by Pakistan Army today in J&K's Tangdhar sector. The Defence Minister is personally monitoring the situation & has asked the Army Chief to keep updating him pic.twitter.com/58e8OIE8Ph
પાકિસ્તાનનું નિવેદન
પાકિસ્તાને પણ સ્વિકાર કર્યો કે ભારતીય સેનાની કાર્યવાહીથી પીઓકેમાં ભારે નુકસાન થયું છે, પરંતુ એને એના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા માત્ર એક કહી છે. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગે માર્યા ગયેલા સૈનિકનું નામ લાન્સ નાયક જાહિદ જણાવ્યું છે, એને બે સૈનિકો ઘાટલ થવાની વાત કહી છે.
જમ્મૂ કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રેનાએ પીઓકે સ્થિત આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવા માટે ભારતીય સેનાના વખાણ કર્યા. સીમા પર આ ગોળીબાર લદ્દાખમાં સામરિક રૂપથી મહત્વપૂર્ણ એક પુલનું ઉદ્ધાટન કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સેના અધ્યક્ષ બિપિન રાવતે સોમવારે થનાર યાત્રાના એક દિવસ પહેલા થયો.