રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે LAC માં ફેરફાર ના થાય અને બંને દેશની સેના પોત-પોતાની જગ્યાએ પહોંચી જાય. અમે અમારી એક ઇંચ જેટલી જગ્યા પણ કોઇને આપીશું નહીં. રાજનાથસિંહે એલાન કર્યું છે કે પેંગોંગના નોર્થ અને સાઉથ બેંકને લઇને બંને દેશો વચ્ચે સમજૂતિ થઇ છે અને સેના પાછળ હટશે. ચીન પેંગોંગના ફિંગર 8 પછી જ પોતાની સેનાને રાખશે.
China will keep its troops to the east of the Finger 8 at the north bank of Pangong Lake. India will keep its troops at its permanent base near Finger 3: Defence Minister Rajanth Singh pic.twitter.com/OqTKqnIhdV
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ અને સ્થિરતામાં કોઇ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિ આપાણા દ્વિપક્ષીય સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. આપણી સશસ્ત્ર સેનાઓ દ્વારા ભારતની સુરક્ષાની દૃષ્ટિથી પર્યાપ્ત તેમજ પ્રભાવી કાઉન્ટર તૈનાત કરવામાં આવી છે.
એપ્રિલની પહેલા પુનઃ સ્થિતિનું નિર્માણ થઇ જશે
રક્ષા મંત્રી રાજનાથસિંહે એલાન કર્યું છે કે ભારત-ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020ની પહેલા જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવશે. જેનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને દૂર કરવામાં આવશે. જે જવાનો આ દરમિયાન શહીદ થયા છે તેને દેશ હંમેશા સલામ કરશે.
ચીન વિવાદ પર સંસદમાં રાજનાથસિંહનું નિવેદન
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ચીન દ્વારા ગત વર્ષે મોટી સંખ્યામાં ગોળા-બારુદ એકઠો કરવામાં આવ્યો હતો. જો કે આપણી સેનાએ ચીનને યોગ્ય જવાબ આપ્યો છે. સપ્ટેમ્બરમાં બંને પક્ષે એક-બીજા સાથે વાતચીત કરી. LAC પર યથાસ્થિતિ ઉભી કરવી એ જ આપણું લક્ષ્ય છે.
We are committed to maintaining a peaceful situation at the Line of Control. India has always emphasised on maintaining bilateral ties: Defence Minister Rajnath Singh makes a statement on ‘present situation in Eastern Ladakh’ in Rajya Sabha pic.twitter.com/qIdzYgo2aC