રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 103મી જયંતીના અવસરે આવેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી. એમણે કહ્યું કે 71ની ભૂલ ફરી ન કરતા, નહીં તો પીઓકેનું શું થશે, આ સારી રીતે સમજી લેજો.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી
રાજનાથ સિંહે કહ્યું- પાકિસ્તાન 71ની ભૂલ ન કરે
1971ના યુદ્ધમાં બાંગ્લાદેશ તરીકે નવો દેશ અસ્તિત્વમાં આવ્યો
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'અમે જાતિ, પંથ અને ધર્મના આધારે રાજનીતિ નથી કરતા. અમે રાજનીતિ કહીએ છીએ તો ન્યાય, માણસાઇ અને માનવતાના આધારે. 'રાજનાથે પાકિસ્તાને ચેતવણી આપી કે તે 1971ની ભૂલ ફરી ન કરે. એમણે કહ્યું કે, એ યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા અને બાંગ્લાદેશના રૂપે એક નવો દેશ સામે આવ્યો હતો. રાજનાથે કહ્યું, 'મેં કહ્યું કે 71ની ભૂલ ન કરતા નહીંતર પીઓકેનું શું થશે, સારી રીતે સમજી લેજો.'
ભારત પીઓકેના અસ્તિત્વને નથી માનતો : રાજનાથ સિંહ
એમણે કહ્યું કે ભારત પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)ના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો. તેથી તેણે જમ્મૂ કાશ્મીરની વિઘાનસભામાં પીઓકે માટે 24 બેઠક ખાલી રાખી છે. રાજનાથ જયપુરની પાસે ધાનક્યામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતી પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. રાજનાથે કહ્યું, 'જો પાકિસ્તાનના અસ્તિત્વને આપણે સ્વીકાર કરીએ છીએ તો એ ન માનવું જોઇએ કે, પીઓકેના અસ્તિત્વનો પણ આપણે સ્વીકાર કરીએ છીએ.