રાજકોટઃ અમરેલીમાં વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત ભાજપના સ્થાનિક નેતાઓએ ખાસ હાજરી આપી હતી. આ શુભ પ્રસંગે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા ખેડૂતરથનું રાજનાથસિંહે લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત 5 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ગૃહમંત્રીએ સહકારી સંસ્થાઓને ઉદ્દેશીને નિવેદન આપ્યું હતું.
વિવિધ સહકારી સંસ્થાઓ ની વાર્ષિક સાધારણ સભામાં હાજર.ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બૅન્ક દ્વારા દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથ નુ કર્યુ લોકાર્પણ.રાજનાથસિંહ ના હસ્તે 5 એમ્બ્યુલન્સ નુ પણ કરાયુ લોકાર્પણ.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પુરુષોત્તમ રૂપાલા આર.સી.ફળદુ સાંસદ કાછડિયા દીલીપ સંઘાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધિ હતી. સભાને સંબોધન કરતા રાજનાથસિંહે અમરેલી સંત ભોજલરામ બાપાને યાદ કર્યા હતા. ખેડૂતોને રામ રામ અને જય શ્રી કૃષ્ણ કહીને સંબોધન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે આર્થિક વિષમતા દુર કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા પ્રયાસ શરૂ છે. અમરેલીમાં એક જ સ્થળે સહકારી સંસ્થાઓની સામાન્ય સભા એક સાથે યોજાઈ તે ગૌરવની વાત છે. ખેડૂતોને વ્યાજખોરો અને શાહુકારોની ચુંગાલમાંથી છોડાવવામાં સહકારી પ્રવૃત્તિ સૌથી મોખરે છે. અમરેલી જિલ્લાનુ સહકારી મોડેલ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી નિવડશે.