દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે ફરીવાર ચીન અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે, તેઓ બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા ઉતર્યા હતા જ્યાં તેમણે પાકિસ્તાનને ખુલી ચેતવણી આપી દીધી.
બિહારમાં ત્રીજા ચરણ માટે થશે મતદાન
રાજનાથ સિંહે કહ્યું POK અમારું છે અને રહેશે
કેટલાક નેતાઓ બહાદુર જવાનોના શૌર્યનો તમાશો બનાવી રહ્યા છે : રાજનાથ સિંહ
ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
બિહારમાં હવે ચૂંટણી પ્રચાર ખતમ થવા જઈ રહ્યા છે અને અંતિમ ચરણમાં મતદાન થવાના બાકી છે. એવામાં ભાજપે પોતાનું એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્રીજા ચરણમાં મતદાન પહેલા પાકિસ્તાને ચૂંટણીમાં એન્ટ્રી મારી લીધી છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે ચૂંટણીની સભામાંથી પાકિસ્તાનને સીધી ચેતવણી આપી છે.
રાજનાથ સિંહે આપી ચેતવણી
બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા ઉતરેલા રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને આ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે POK ભારતનો હિસ્સો હતો અને આજે પણ અમે POKને ભારતનો હિસ્સો માનીએ છે અને આગળ પણ POK ભારતનો હિસ્સો જ રહેશે.
રાજનાથ સિંહે કહ્યું કે હવે તો પાકિસ્તાનની સંસદમાં પણ આ વાતનો ઉલ્લેખ થઇ ગયો છે પાકિસ્તાનમાં ભારતને લઈને કેવા પ્રકારનો ભય છે. જ્યારે અમારો પાયલટ અભિનંદનને તેમણે પકડી લીધો હતો.
ચીનને પણ સંભળાવી દીધું
કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાન જ નહીં ચીન સાથે ભારતના સંબંધો પર રાજનાથ સિંહે ચર્ચા કરી, તેમણે કહ્યું કે દેશની સેનાએ જે રીતે શૌર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો છે તેનાથી ચીની સેના ભયભીત થઇ ગઈ છે. એવામાં જ્યારે સરહદ પર આપણા બહાદુર જવાનો દુશ્મનોને પાછળ મોકલી રહ્યા છે આપણે એક થઇને સેનાનું સમર્થન કરવું જોઈએ. કેટલાક નેતાઓ એવા છે જે સતત ભારતીય સેના અને બહાદુર જવાનોના શૌર્યનો તમાશો બનાવી રહ્યા છે.