સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે પટણામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે ચીન મામલે કોંગ્રેસને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી સેનાના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચીને 1200 કિમી સુધીની જમીન પર કબજો મેળવ્યો છે. કોંગ્રેસને જવાબ આપતા તેમણે કહ્યું કે, હું ખુલાસો કરીશ તો ચહેરો બતાવવો મુશ્કેલ થઇ જશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે પટણામાં એક ચૂંટણી રેલીને કર્યું સંબોધન
કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કહ્યું- હું ખુલાસો કરીશ તો ચહેરો નહીં બતાવી શકો
ચૂંટણી રેલીને સંબોધન કરતા રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણી સેનાના જવાનોના શોર્ય અને પરાક્રમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચીને 1200 વર્ગ મીટર જમીન પર કબજો કર્યો છે.
પરંતુ હું જો ખુલાસો કરીશ તો ચહેરો બતાવવો મુશ્કેલ થઇ જશે
પરંતુ હું જો ખુલાસો કરીશ તો ચહેરો બતાવવો મુશ્કેલ થઇ જશે. રાજનાથે કહ્યું કે 1962 થી આજ સુધીનો ઇતિહાસ લો. સંરક્ષણ પ્રધાન તરીકે, હું છાતી ઠોકીને કહેવા માંગુ છું અને સેનાના જવાનોએ જે બહાદુરી અને પોતાના પરાક્રમનો પરિચય બતાવ્યો છે, તે દેશનું મસ્તક ગૌરવ સાથે ઊંચું કરે છે.
રાહુલને રાજનાથનો સવાલ
#WATCH: Congress is questioning bravery of our soldiers. It's being said that China has captured 1200 sq km of land, it will be difficult for them to save face if I make a disclosure: Defence Minister Rajnath Singh in Patna #BiharElectionspic.twitter.com/bbabReiK1C
રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામાની ઘટના બાદ આ લોકો આ પ્રકારની વાતો કરે છે. પાકિસ્તાનની એસેમ્બલીમાં ઉભા રહીને ત્યાનો મંત્રી જણાવે છે કે, પુલવામાની ઘટના ત્યાંની સરકારના ઇશારા પર બની. હું રાહુલને પૂછવા માગું છું કે તેઓ કેમ નથી બોલતા? ચૂપ કેમ છે.
ચીન મુદ્દા પર કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર કરી રહી છે પ્રહાર
આપને જણાવી દઇએ કે, LAC પર ચીન સાથેનો તણાવ યથાવત છે ત્યારે કોંગ્રેસ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહારની ચૂંટણી દરમિયાન સરકાર પર સીમા મુદ્દે સરકારને ઘેરી હતી. તાજેતરમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 4 મહિના પહેલા જ ચીન આપણી સીમામાં પ્રવેશ્યું હતું. હવે તેને બહાર ફેંકતા કેટલો સમય લાગશે?