પેન્શન, સેનાનો સામૂહિક વીમો, સેના કલ્યાણ નિધિ સહિતના લાભ અલગ થી મળશે
અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે આ આર્થિક મદદ યુદ્ધમાં ઇજાગ્રસ્તો માટે બનાવેલા સૈનિક કલ્યાણ નિધિ (ABCWF) હેઠળ આપવામાં આવશે. હાલ યુદ્ધમાં શહીદ થવા પર અને 60 ટકા કે તેથી વધારે અપંગતાનો સામનો કરનાર સૈનિકો, ઉપરાંત અન્ય ઘણી કેટેગરીમાં આવનાર સૈનિકોને બે લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરવામાં આવે છે.
આ મદદ પેન્શન, સેનાનો સામૂહિક વીમો, સેના કલ્યાણ નિધિ અને અનુગ્રહ રાશિ ઉપરાંત અલગથી આપવામાં આવે છે. રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે રક્ષા મંત્રીએ યુદ્ધમાં ઇજાગ્રસ્તોની તમામ શ્રેણીના પરિવારોને આપવામાં આવતી આર્થિક સહાયતા 2 લાખ રૂપિયાથી વધારી 8 લાખ રૂપિયા કરવાની સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી છે.
નોંધનીય છે કે એબીસીડબલ્યૂએફની રચના એક્સ સર્વિસમેન વેલ્ફેયર વિભાગ અંતર્ગત જુલાઇ 2017માં કરવામાં આવી હતી.