પુલવામા આંતકી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાને કહ્યુ કે ''તેઓ બદલો લેવા માટેની જગ્યા અને સમય પોતાના હિસાબથી નક્કી કરી લે.'' આ કારતૂતને લઇને સરકારે સંસદમાં તમામ પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી.
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં સંસદ ભવનમાં એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતા સદન શામેલ થયા. બેઠક પછી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યુ કે લોકસભા અને રાજ્યસભામાં રાજનીતિક પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવવામાં આવી જેમાં તમામ પાર્ટીઓના નેતાઓ આ આશ્વાસન આપવામાં આવ્યુ કે ''દેશ અને સરકાર એક સાથે છે.''
તેમણે જણાવ્યુ કે ''બેઠકમાં આ પ્રસ્તાવની સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો છે.'' આ સાથે જ જણાવ્યુ કે બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે ''આતંકવાદનું આ કાર્ય કાયરતાભર્યુ છે અને જમ્મૂ-કશ્મરીના આતંકને ખત્મ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ''બેઠકમાં રાજનાથ સિંહે કહ્યુ કે ''કશ્મીરના જનતા અમન ઇચ્છે છે અને અમારી સાથે છે.''
The resolution passed at the all-party meeting: We strongly condemn the dastardly terror act of 14th February at Pulwama in J&K in which lives of 40 brave jawans of CRPF were lost. pic.twitter.com/0OjGkgS6He
ત્યારે બીજી તરફ બેઠક પછી ગુલામ નબી આઝાદે જણાવ્યુ કે ''અમે ગૃહમંત્રીને આગ્રહ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઓના અધ્યક્ષોની બેઠક બોલાવે અને સાથે જ વિચાર કરવો જોઇએ. અમારી આ માંગને બાકીની પાર્ટીઓએ પણ સમર્થન આપ્યુ.'' ગુલામ નબીએ આગળ જણાવ્યુ કે ''પૂરી કોંગ્રેસ પાર્ટી આતંકવાદને ખાત્મા કરવા માટે મજબૂતીની સાથે જવાનોની જોડે ઉભી છે.''
મીટિંગ પહેલા ગુલામ નબી આઝાદે જણાવ્યુ કે અમે તમામ સુરક્ષાબળોને સાથે ઉભા છીએ પરંતુ મીટિંગમાં શું થશે તે અંગે કોઇ જાણકારી નથી. આઝાદે સ્પષ્ટ કર્યુ કે તેમની પાર્ટી આતંકવાદની સામે લડવા માટે સરકારને સમર્થન આપશે. આ વાતચીતનો સમય નથી અને આમ કરવું મૂર્ખામી છે. ગુલામ નબી પહેલા શુક્રવારના કોંગ્રેસ અધ્ચક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે ''કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષ સરકાર અને સેનાની સાથે છે.''