ચિરાગ પાસવાનની મોટી મમ્મી રાજકુમારી દેવીએ કહ્યું કે તું પોતાને એકલો કેમ સમજી રહ્યો છે, અમે લોકો છીએ ને તારી સાથે. રાજકુમારી દેવીએ ચિરાગને બેટા કહી પોતાના હાથથી ખીર ખવડાવી માથા પર પાઘડી પહેરાવી હતી.
લોક જનશક્તિ પાર્ટી (LJP)માં દાવેદારીની લડાઈ ચાલુ છે તો બીજી બાજુ ચિરાગ પાસવાન આશિર્વાદ યાત્રા દ્વારા જન સમર્થન મેળવવાનું અભિયાન ચલાવી રહ્યાં છે. 5 જુલાઈએ સ્વર્ગસ્થ પિતા રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ પર તેમની યાત્રા હાજીપુરથી શરૂ થઈ અને સમસ્તીપુર અને બેગુસરાઇ થઈને ખગરીયા પહોંચી હતી.
જ્યારે તેઓ અહીં શાહરાબાની શહેર પહોંચ્યા હતા ત્યારે અહીં સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવી રહે છે અને ચિરાગ તેમને મળવા માટે આવ્યો હતો. મોટી મમ્મીને જોઇને ચિરાગ પાસવાન ભાવુક થઈ ગયા હતા અને તેમને વળગીને રડી પડ્યાં હતા. ચિરાગે તેમના કાકા અંગે ફરિયાદ કરતાં કહ્યું - કાકાએ મારી સાથે ખોટું કર્યુ છે. રાજુકમારી દેવીએ દિલાસો આપતી વખતે ચિરાગનો હાથ પકડીને કહ્યું - દીકરા બધું ઠીક થઈ જશે.
રાજકુમારી દેવીએ કહ્યું કે તું કેમ પોતાને એકલો સમજી રહ્યો છે, અમે તારી સાથે છીએ ને. રાજકુમારી દેવીએ ચિરાગને બેટા કહી પોતાના હાથથી ખીર ખવડાવી માથા પર પાઘડી પહેરાવી હતી.
ઉલ્લેખનીય છે કે લાંબા સમય પછી માતા અને પુત્ર એકબીજાને મળ્યા. બંને એકબીજાને જોઈ રડવા લાગ્યા.
आज “आशीर्वाद यात्रा" के दौरान जिला खगड़िया, सहरबनी आगमन पर लोजपा के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @iChiragPaswan जी ने अपने पैतृक आवास पर पहुंचकर माँ से मुलाकात की और उनका आशीर्वाद लिया। pic.twitter.com/gc4HZvndU3
મહત્વનું છે કે તાજેતરમાં મોદી કેબિનેટના વિસ્તરણ પછી, ચિરાગ પાસવાનને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યા પછી પણ રાજકુમારી દેવીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ચિરાગ પાસવાનને મંત્રીમંડળમાં સ્થાન આપવું જોઈએ. તેમને પ્રધાનમંત્રી પર ખૂબ વિશ્વાસ છે. ચિરાગે હંમેશાં પીએમ મોદીના કાર્યોની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચિરાગ રામ વિલાસ પાસવાનના અનુગામી છે, તેથી તેમને મંત્રી બનાવવા જોઈતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે LJP તોડીને પશુપતિ કુમાર પારસે સારું નથી કર્યુ. પારસ અને એલજેપી સાંસદોએ રામવિલાસ પાસવાન સાથે છેતરપિંડી કરી છે.
ઉલ્લેખનીય છે કે રામ વિલાસ પાસવાને બે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન વર્ષ 1960 માં ગ્રામીણ મહિલા રાજકુમારી દેવી સાથે થયા હતા. તે સમયે પાસવાનની ઉંમર માત્ર 14 વર્ષની હતી. બાદમાં, રામવિલાસ પાસવાને રાજકુમારી દેવી સાથે છૂટાછેડા લીધા હતા અને 1983 માં રીના શર્મા સાથે લગ્ન કર્યા હતા. ચિરાગ એ રીના શર્માનો એકમાત્ર પુત્ર છે. જોકે, ચિરાગ રાજકુમારી દેવીને તેની માતા તરીકે પણ બોલાવે છે અને તેથી તેમના આશીર્વાદ લેવા બિહારના ખાગરીયાના શાહરાબાની ગામ પહોંચ્યા હતા. (photo : LJP)