રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે મેદાન વેચવા કાઢ્યું છે. વિરાણી સ્કૂલે કરોડો રૂપિયાની કિંમતનું મેદાન બિલ્ડરને વેચવા કાઢ્યું છે. વિરાણી સ્કૂલ શરત વિરુદ્ધ મેદાનને વેચવાની તૈયારી બતાવી છે. વેચાણમાં મેદાનનો 5700 ચો. મીટર જમીનનો હિસ્સો છે. અને વેચાવા કાઢેલા મેદાનનો બજાર ભાવ રૂ. 140 કરોડની આસપાસ છે. જેને માત્ર 52 કરોડમાં આપી દેવાનો કારસો છે.
પુર્વ મુખ્યમંત્રી ઢેબરભાઇએ શૈક્ષણિક હેતું માટે આપી હતી જમીન
22 ખેડૂતો પાસેથી સંપાદન કરી શિક્ષણ માટે જમીન આપી હતી
શૈક્ષણિક હેતુની જમીન પર વિરાણીના ટ્રસ્ટીઓની ભાગબટાઇ
વિરાણી સ્કૂલના ટ્રસ્ટીઓએ માત્ર એક જ ટેન્ડરને મંજૂરી આપી
ઓમનાઇન સ્ક્વેર લીપ નામની કંપનીએ ટેન્ડર ભર્યૂં છે. એટલે એ કંપનીને જમીન વેચી દેવામાં આવશે. ત્યારે વિરાણી સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ જમીન વેચવા સામે વિરોધ કરી રહ્યાં છે. સ્કૂલે નિયમ વિરુદ્ધ જઇ અને જમીન વેચવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
માત્ર શૈક્ષણિક હેતુ માટે વિરાણી સ્કુલની જમીન આપી હતી
રાજકોટની શાન ગણાતી સ્કુલે જમીન વેચવા કાઢી છે જે શાળાને દાનમાં મળી હતી. પુર્વ મુખ્યમંત્રી ઢેબરભાઇએ શૈક્ષણિક હેતું માટે જમીન આપી હતી. 22 ખેડૂતો પાસેથી સંપાદન કરી શિક્ષણ માટે જમીન આપી હતી. શૈક્ષણિક હેતુની જમીન પર વિરાણીના ટ્રસ્ટીઓની ભાગબટાઇની ચર્ચા થઈ રહી છે. માત્ર શૈક્ષણિક હેતુ માટે વિરાણી સ્કુલની જમીન આપી હતી. હવે ટ્ર્સ્ટીઓ સ્કુલની જમીન પર ડોળો રાખીને બેઠા છે.