રાજકોટના ગોડાઉનમાં બારદાન કૌભાંડ મામલે મગન ઝાલાવાડિયાની ધરપકડ થઈ છે. ઝાલાવાડિયાની પુછપરછમાં ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે હવે પોલીસને તપાસ દરમિયાન પુરાવા મળ્યા છે કે ઝાલાવાડિયાએ 3 ટ્રકો ભરીને બારોબાર બારદાન વેચી નાખ્યા હતા.
આ સાથે ઝાલાવાડિયાએ ગોડાઉનના રજીસ્ટરમાં ગોલમાલ કર્યુ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. ઝાલાવાડિયાએ બે વેપારીઓને 50 રૂપિયાના લેખે 10 હજાર 800 નંગ બારદાન વેચ્યા હતા. જ્યારે 54 રૂપિયાના લેખે 20 હજાર નંગ બારદાન વેચ્યા હતા.
આ મામલે પોલીસે બન્ને વેપારીઓની પણ ધરપકડ કરી છે. બન્ને વેપારીઓના રિમાન્ડ મેળવીને પોલીસ તાજવીજ હાથધરી છે. મહત્વનુ છે કે એક બારદાનનુ સરકારી ભાવ 71 રૂપિયા છે અને ઝાલાવાડિયાએ સસ્તા ભાવે બારદાન વેચ્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.