રાજકોટમાં આજે પણ પાંચ વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે, જેથી રાજકોટમાં પાંચ વોર્ડના લોકોને પાણીથી વંચિત રહેવાનો વારો આવશે. આજે પશ્ચિમ રાજકોટના ન્યારી ઝોનમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 2, 7, 8, 10 અને 11માં પાણી કાપ મુકવામાં આવ્યો છે. ત્યારે આજે પાંચેય વોર્ડના લોકોને પાણીની સમસ્યા સામે લડવું પડશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટવાસીઓ માટે સરકાર નર્મદાના પાણીથી ડેમ ભરે છે.
ડેમમાં પાણી છે તો પછી કેમ રાજકોટવાસીઓને પાણીથી વંચિત રહેવું પડશે તે પણ એક પ્રશ્ન છે. સવાલ એ પણ થાય છે કે શું રાજકોટ મનપા તંત્ર કોઈ નક્કર આયોજન કરતુ નથી. આજે પાણી કાપના પગલે અડધા શહેરને પાણીથી વંચિત રહેવું પડશે.