ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીને લઇને ધંધા-રોજગાર પર અસર જોવા મળી છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે ત્યારે રાજકોટથી અમદાવાદ ST બસના મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રાજકોટથી અમદાવાદના ST ભાડામાં 4 રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટથી અમદાવાદના ST ભાડામાં રૂ. 4 નો વધારો
નવા બની રહેલા બ્રીજના કારણે 4 કિમીનું વધ્યુ અંતર
ટિકિટ દરમાં 4 રૂપિયાનો થયો વધારો
રાજકોટ થી અમદાવાદ આવતા-જતા મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. જેમાં ST વિભાગ દ્વારા ભાડામાં 4 રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં હાલ નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના કારણે બસના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ નવા બની રહેલા બ્રીજના કારણે ST બસને 4 કિલોમીટર જેટલું અંતર વધી ગયું.
આમ ST નિગમ દ્વારા 4 કિમીના અંતર વધવાથી ભાડામાં વધારો કર્યો છે. આમ એક તરફ મોંઘવારીમાં પિસાઇ રહી જનતા માટે 'સલામતીની સવારી, એસટી અમારી'માં ભાડું વધારી દેવામાં આવતા જનતા માટે ખરાબ સમાચાર આવ્યાં છે.