રાજકોટની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ હજુ પણ મુંઝવણમાં મુકાઈ છે. ઉમેદવારની પસંદગી મામલે કોંગ્રેસ હજુ પણ ગુંચવણમાં મુકાયું છે.
તો કોંગ્રેસને આંતરિક જૂથવાદ ઉભો થવાનો પણ ડર છે. જેના કારણે ઉમેદવારના નામ જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે. ભાજપની તોડજોડની રાજનીતિને લઈને પણ અંતિમ ઘડીએ નામ જાહેર કરવામાં આવી શખે છે.
ઉલ્લેખનીય છે કે જસદણના પીઢ કોંગ્રેસી આગેવાન કુંવરજી બાવળીયા કોંગ્રેસનો હાથ છોડીને તાજેતરમાં ભાજપમાં જોડાયા. ત્યારબાદ તેમણે ધારસભ્ય પદ ઉપરથી રાજીનામુ પણ આપ્યું.
#Rajkot ની જસદણ પેટા ચૂંટણી #Congress ઉમેદવારનું નામ આજે થઈ શકે છે જાહેર
અવચર નાકિયાનું નામ જાહેર થવાની પુરી શક્યતા અવચર નાકિયા હાલ રાજકોટ જિલ્લા પંચાયતના છે સભ્ય #BJP ના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસ ઉતારશે કોળી ઉમેદવાર
જસદણ વિસ્તારમાં 35 ટકા કોળી મતદારો છે pic.twitter.com/Wcv6WZEc7d
જેથી વિધાનસભાની જસદણ બેઠક ખાલી પડતા તેની પેટાચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હજી સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરવાની અવઢવમાં છે.
આપને જણાવી દઇએ કે જસદણમાં કોળી અને પાટીદાર મતદારોનું ખાસ પ્રભુત્વ રહેલું છે. બાવળિયા કોંગ્રેસમાંથી છ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા છે. જેમાંથી પાંચ વખત જીત્યા છે. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. જો કે તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાઇ જતાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.