રાજકોટનાં એક એવા મંદિરની વાત કરીએ જ્યાં ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી મઢવામાં આવી છે, રામનવમીના તહેવારને લઈને લોકો દૂરદૂરથી આ કુંડળીઓ જોવા આવે છે.
રાજકોટના મંદિરમાં ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી મઢેલી છે
જ્યોતિષ શાસ્ત્રીઓ દ્વારા તેમની કુંડળી તૈયાર કરવામાં આવી હતી
રામનવમીના તહેવારને લઈને લોકો દૂરદૂરથી આ કુંડળીઓ જોવા પહોંચે છે
રાજકોટ: આજે રામનવમી છે. ત્યારે રાજકોટનાં એક એવા મંદિરની વાત કરીએ જ્યાં ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી મઢવામાં આવી છે. સામાન્ય માણસની તો કુંડળી હોય જ છે. પરંતુ ભગવાન રામ અને કૃષ્ણએ પણ માનવ અવતાર લીધો હોવાથી તેમના જન્મ સમય વગેરે અનુસાર જ્યોતિષ શાસ્ત્રીઓ દ્વારા તેમની કુંડળી તૈયાર કરવામાં આવી હતી.
આ કુંડળીને રાજકોટના આમ્રપાલી નજીક આવેલા 38 વર્ષ જુના મંદિરમાં મઢાવીને રાખવામાં આવી છે. જેથી લોકો ભગવાન રામ અને કૃષ્ણના ગ્રહો કેવા હતા તે જોઈ શકે છે. રામનવમીના તહેવારને લઈને લોકો દૂરદૂરથી આ કુંડળીઓ જોવા પહોંચી રહ્યાં છે.
પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે
આ અંગે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથ પુરીએ જણાવ્યું કે, મને એવો વિચાર આવ્યો કે, આ રામમંદિર હોવાથી અહીં ભગવાનની કુંડળી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો તેમજ પુરાણોની મદદથી ભગવાન રામ અને કૃષ્ણની કુંડળીઓ તૈયાર કરી મઢાવવામાં આવી છે.
આવતીકાલે રામમંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવશે.અને બપોરના 12 વાગ્યે રામલલ્લાનું પૂજન-અર્ચન કર્યા બાદ રામ જન્મની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. તેમજ પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.