રાજકોટની વધુ એક ખાનગી કોવિડ હોસ્પિટલ વિવાદમાં આવી છે. શહેરની મોંઘીદાટ સિનર્જી હોસ્પિટલમાં તબિબો સમયસર દવા ન આપતા હોવાનું સામે આવ્યું છે. કોરોના સંક્રમિત ડૉક્ટરને જ સમયસર સારવાર ન આપી. દર્દી ડોક્ટરના મિત્રએ સિનર્જીના સંચાલકોને ઠપકો આપ્યો હતો. સિનર્જી સંચાલકો સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.
સિનર્જી હોસ્પિટલ આવી વિવાદમાં
સમયસર દવા ન આપતા હોવાનુ સામે આવ્યુ
ખુદ કોરોના સંક્રમિત તબીબનો ખુલાસો
રાજકોટ ખાનગી સિનર્જી હોસ્પિટલ જેને કોવિડ હોસ્પિટલ જાહેર કરાયેલી છે. જેમાં ડૉક્ટરોની બેદરકારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. દર્દીના મિત્રએ ડૉક્ટર સાથે વાત કરી તેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં દર્દીના મિત્ર ડૉક્ટરને કહે છે કે તમે માર્કેટિંગ બંધ કરીને દર્દીને યોગ્ય સારવાર આપવાનું ચાલુ કરો નહીંતર મારે મીડિયાને જાણ કરવી પડશે.
ઓડિયોક્લિપમાં દર્દીના મિત્ર કહી રહ્યા છે કે, કોવિડમાં મારો મિત્ર ત્રણ-ચાર દિવસથી સારવાર લઇ રહ્યો છે પરંતુ રાઉન્ડમાં કોઈ આવતું નથી. એટલું બધુ મિસ મેનેજમેન્ટ છે કે રાતના ડોઝ ડૉક્ટરો ભૂલી ગયા છે. સવારના ડોઝ બપોરના 12 વાગ્યે આપ્યા, પેલાને બોલવાની ત્રેવડ નથી. મારા માણસને મોકલી ડોઝ અપાવ્યા હતા. ડૉક્ટર રાઉન્ડમાં ન આવે, મેડિકલ ઓફિસર રાઉન્ડમાં ન આવે તો શું તમે મરવા માટે દાખલ કરો છો દર્દીઓને? ડૉક્ટરની ટ્રીટમેન્ટ નથી કરતા તો તમે બીજાનું શું કરશો? ડોબરીયા સાહેબ ફોન ઉપાડે તો તેને પાડી દઉં.
ત્યારે સવાલ થાય છે કે જો તબીબને જ સારવારના ફાંફા હોય તો અન્યની શું વાત કરવી? સિનર્જી હોસ્પિટલના સંચાલકોથી જો તબીબ દર્દી જ કંટાળે તો અન્યની શું વાત કરવી? તબીબ દર્દી જ કહે છે કે મને અહીં બહાર કાઢો,તો સ્થિતિ શું હશે તમે સમજી શકો છો. કોરોનાથી સંક્રમિત તબીબની જ સારવારમાં ધાંધિયા હોય તો અન્ય જનતાનું શું થશું હશે? પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂપિયા લીધા બાદ પણ સારવાર કેમ નથી આપવામાં આવતી? રૂપિયા બાદ પણ જો સારવાર ન અપાતી હોય તો આ ઉઘાડી લૂંટ નહીં તો બીજું શું છે?