રાજકોટ: રાજ્યભરમાં સ્વાઈવ ફ્લૂનો કહેર યથાવત્ છે. ત્યારે હવે રાજકોટમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત થયુ છે. શહેરમાં એક જ દિવસમાં ફ્લૂના બે દર્દીઓના મોત થયા છે.
રાજકોટ શહેરના જાગનાથમાં રહેતા 53 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે. હાલમાં 52 દર્દી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજકોટમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફ્લૂના 229 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે સીઝનમાં સ્વાઈન ફ્લૂથી 47 લોકોના મોત થયા છે.
#Rajkot માં #SwineFlu થી વધુ એક દર્દીનું મોત
શહેરના જાગનાથમાં રહેતા 53 વર્ષીય દર્દીનુ મોત
52 દર્દી સિવિલ અનેં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ફ્લૂના 229 પોઝિટીવ કેસ
રાજકોટમાં સીઝનમાં સ્વાઈન ફ્લૂથી 47 લોકોના મોત pic.twitter.com/x7WfX7N0ya
થોડા સમય પહેલા પણ એક મહિલાનું પણ થયું હતું મોત
શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક મહિલાનુ મોત થયુ છે. જામનગરની મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ છે. મહિલાનુ મોત થતા રાજકોટમાં ફ્લૂથી મોતનો આંકડો 27એ પહોંચ્યો છે. હજી પણ શહેરમાં ફ્લૂના 13થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
ગોંડલની 65 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટની યુવતીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સીઝનના કુલ 115 કેસ નોંધાયા હતા. 14 દર્દી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ સ્વાઈન ફ્લુનો ભરડો થયો છે.
હાઈકોર્ટની ટકોર બાદ સ્વાઈનફ્લૂને અટકાવવા તંત્ર સફાળુ જાગ્યું
હાઈકોર્ટની ટકોર બાદ સ્વાઈનફ્લૂને અટકાવવા તંત્ર સફાળુ જાગ્યું છે. સ્વાઈનફલૂના કહેરને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. રાજ્યસરકારના પ્રતિનિધીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા કરવામાં આવી છે.
સ્વાઈનફ્લૂના પ્રભાવને અટકાવવા અંગે સુચનો આપવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં હોસ્પિટલ કમિટીના ચેરમેન સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
સ્વાઇન ફ્લૂના લક્ષણો
એકાએક ઠંડી સાથે 101થી 104 ડિગ્રી તાવ આવવો
બે-પાંચ દિવસ સુધી તાવ ન ઉતરવો
માથા ગળા અને સ્નાયુમાં દુખાવો થવો
સૂકી ઉધરસ આવવી
નાક અને આંખમાંથી સતત પાણી પડવું
સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાયો
સ્વાઇન ફલૂના દર્દીથી 6થી7 ફૂટ દૂર રહેવું
બહારથી ઘરમાં આવ્યા બાદ સાબુથી હાથ ધોવા
છીંક કે ઉધરસ આવે ત્યારે મોં આગળ રૂમાલ રાખવો
પૂરતી ઊંઘ લેવી
ઉપવાસ કે એકટાણાં કરવા નહીં
લીંબુ શરબત કે અન્ય પ્રવાહી વધારે લેવું
પ્રોટીનયુકત ખોરાક લેવો
શકય હોય ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળવું