રાજકોટમાં તંત્રને બચાવવા મુખ્ય પુરવઠા અધિકારી મેદાને ઉતર્યા છે ત્યારે ગઈકાલે જે દુકાનનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું હતુ તે દુકાન આજે ચાલુ હતુ. આ મામલે VTVએ પર્દાફાશ કર્યો હતો અને પુરવઠા અધિકારીને પ્રશ્નો પૂછવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે પુરવઠા અધિકારીએ ઓન કેમેરા મીડિયા કર્મી સાથે ગેરવર્તણૂંક કરી હતી.
મીડિયા કર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી કર્યું ગેરવર્તન
ગઈકાલે જે દુકાનનુ લાઈસન્સ રદ્દ કર્યુ તે આજે ચાલુ હતુ
VTVએ પર્દાફાશ કર્યો ત્યારે પૂરવઠા અધિકારીને ખ્યાલ આવ્યો
રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ મામલે સવાલ પૂછતા પુરવઠા અધિકારીએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું. પુરવઠા અધિકારી પુજા બાવડાએ મીડિયા સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું.
પુરવઠા અધિકારી પુજા બાવડાના આ વર્તનથી સવાલ ઉઠી રહ્યાં છે
તેઓને જ્યારે સવાલ પૂછવાનું કહેવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે પહેલા મને સવાલ જણાવો કે તમે કયા સવાલ પૂછવાના છો. પછી હું જવાબ આપીશ. ત્યારે આ અંગે મીડિયાએ વિરોધ કરતા. તેઓએ કહ્યું કે તમે શાંતિથી વાત કરો નહીં તો બહાર કાઢી મૂકીશ. ત્યારે પુરવઠા અધિકારી પુજા બાવડાના આ વર્તનથી સવાલ ઉઠી રહ્યાં છે
અધિકારીઓ આવા દુકાન ધારકોને છાવરે છે
રાજકોટમાં સસ્તા અનાજના કૌભાંડનો મામલે સામાજિક કાર્યકર મહેશ બુધવાણીએ પણ તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. પુરવઠા વિભાગમાં મોટા પ્રમાણમાં ભષ્ટાચાર થાય છે. સસ્તા અનાજના દુકાનધારકો પાસેથી રૂપિયા પડાવે છે. લાઈસન્સ કાઢી આપવા માટે રૂપિયા લેવાય છે. અધિકારીઓ આવા દુકાન ધારકોને છાવરે છે.
સળગતા સવાલ
પુરવઠા અધિકારી સવાલોથી કેમ ડરે છે?
પહેલેથી જ સવાલ જણાવો તો જ મળશે જવાબ
પત્રકારોના સીધા સવાલથી કેમ ડરે છે પુરવઠા અધિકારી?
પુરવઠા અધિકારી કોને બચાવવાનો પ્રયાસ કરે છે?
પુરવઠા અધિકારીનું મીડિયા સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે?