રાજકોટમાં સોમાની સામાન્ય સભામાં કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. આ મામલે તેમણે પાણી પત્રક મામલે નિવેદન આપ્યું છે કે પાણી પત્રકમાં ખેડૂતો પાક લખાવતા નથી.
પાક ન લખવતા હોવાથી સરકારને અંદાજ આવતો નથી. જો ખેડૂતોએ વીમો ઉતાર્યો હોય તે જ પાણીપત્રકમાં લખાઈ તેવી રજૂઆત પણ તેમણે કરી હતી. આ સાથે જ તેમણે કહ્યુ કે ખેડૂતો વિમામાં પણ ખોટું ઉત્પાદન દર્શાવે છે. જેના કારણે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
#Rajkot માં કેન્દ્રીય કૃષિ મંત્રી #ParshottamRupala નુ નિવેદન પાણી પત્રકમાં ખેડૂતો પાક લખાવતા નથી પાક ન લખવતા હોવાથી અંદાજ નથી આવતો વીમો ઉતાર્યો હોઈ તે જ પાણીપત્રકમાં લખાઈ તેવી રજૂઆત કરીશ ખેડૂતો ઇન્સ્યોરન્સમાં પણ ખોટું ઉત્પાદન દર્શાવે છેઃ રૂપાલા pic.twitter.com/hwqFeDd04T
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે સોમાની 69મી વાર્ષિક સભા મળી હતી. આ સભામાં પરષોતમ રૂપાલા હાજર રહ્યા હતા. સભામાં મગફળીનું ઉત્પાદન ઓછું થવાના મામલે ચર્ચા થઈ હતી. મહત્વનુ છે કે ગત વર્ષે મગફળીનું 25 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયુ હતું.
આ વર્ષે 12 લાખ મેટ્રિક ટન મગફળીના ઉત્પાદનનો થયો હોય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ વર્ષે ચાલુ વર્ષે 48 ટકા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. અમરેલીમાં 1 વીઘાએ 4થી 5 મણ ઉત્પાદન જામનગરમાં 1.15 લાખ ટન દ્વારકામાં 67 હજાર ટન જૂનાગઢ 3.5 લાખ ટન પોરબંદરમાં 57 હજાર ટન અને રાજકોટ જિલ્લામાં 1.80 લાખ ટન ઉત્પાદન થયો હોવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે.