દિવાળીના વેકેશનની શરૂઆતથી રાજ્યની એસટી બસમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને લઇને એસટી વિભાગની આવક પણ વધી. દિવાળીના પર્વની રજા પડતાંની સાથે લોકો પોતાના વતનમાં જવા માટે એસટીમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જેમાં રાજકોટમાં એક દિવસમાં જ 50 લાખથી વધુની આવક જોવા મળી છે.
રાજકોટમાં ST વિભાગની દિવાળીમાં આવકમાં વધારો
ST વિભાગે એક જ દિવસમાં 50 લાખથી વધુની કરી કમાણી
મુસાફરોનો ધસારો વધતા વધુ 90 બસો દોડાવાઈ
રાજકોટ ST વિભાગમાં દિવાળીના દિવસે 50 લાખથી વધુ આવક
દિવાળીનો પર્વ હોવાના કારણે લોકો પોતાના વતન જઈ રહ્યા છે. આમ લોકો વતન જવા માટે લોકો STની મુસાફરી વધુ પસંદ કરી રહ્યા છે. જેને લઇને રાજકોટ ST વિભાગની દિવાળીના દિવસમાં 50 લાખથી વધુ આવક થઈ છે. મુસાફરોની સંખ્યામાં વધારો થતા વધુ 90 બસો દોડાવવામાં આવી હતી. લાભપાંચમ સુધી વધારાની બસો કાર્યરત રહશે.
દિવાળીને લઇને મુસાફરોનો ધસારો
દિવાળીના પર્વને લઇને એસટી સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. ગઇકાલે દિવાળીના દિવસથી વહેલી સવારે લોકો વતન જવા માટે બસની મુસાફરી કરવા માટે એસટી સ્ટેન્ડ પર પહોંચેલા જોવા મળ્યા હતા. મુસાફરો વધતાં ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બસના ભાડામાં વધારો કરાયો છે. આમ ખાનગી બસના વધુ ભાડા સામે લોકો ST માં મુસાફરી કરી રહ્યાં છે. આમ તહેવારને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ST બસમાં પણ વધારો કરવામાં આવ્યો છે.