રાજકોટ એસ.ટી પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોનાગ્રસ્ત મળી આવ્યા, જે બાદ એસ.ટી બસની 450 જેટલી ટ્રીપ રદ કરવાનો નિર્ણય કરાયો
રાજકોટમાં કોરોનાની બીજી લહેર બની વધુ ઘાતક
રાજકોટ એસ.ટી પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોનાગ્રસ્ત
એસ.ટી બસની 450 જેટલી ટ્રીપ રદ કરવાનો નિર્ણય
રાજકોટમાં કોરોનાની બીજી લહેર સૌ કોઈ માટે ઘાતક બની રહી છે. તો રાજકોટ એસ.ટી પોર્ટમાં આજે 67 મુસાફરો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એસ.ટી બસ પોર્ટમાં મુસાફરોની અવરજવર ઓછી થઈ ગઈ છે. અને એસ.ટી બસની 450 જેટલી ટ્રીપ રદ કરવાનો નિર્ણય કરાયો છે.
તો બીજી તરફ કોરોનાના કારણે ST વિભાગને નુકસાન પણ ઉઠાવવું પડી રહ્યું છે. હાલ એસ.ટી વિભાગ દ્વારા 5 હજાર જેટલી શિડ્યુલ બસનું નિયમન કરવામાં આવી રહ્યું છે. તો અન્ય રાજ્યના રૂટ પણ હાલ પુરતા સ્થગિત કરી દીધા છે. એસ.ડી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માટે બસ સેવા સ્થગિત કરી છે. મહત્વનું છે કે, કોરોનાની બીજી લહેર રોજબરોજ ખતરનાક સાબિત થતી જાય છે. જેને લઈને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં બસ સેવા બંધ કરાય છે.
કેવી છે રાજકોટમાં કોરોનાની સ્થિતિ
કોરોનાએ સમગ્ર ગુજરાત સાથે રાજકોટને પણ ભરડે લીધું છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકામાં આરોગ્ય વિભાગના 130 કર્મચારી એક સાથે કોરોના સંક્રમિત થયા છે. ફ્રન્ટલાઈન પર કામ કરતા જ કર્મચારીઓ કોરોના પોઝિટીવ થયા છે. આ કર્મચારીઓમાં પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. જે સતત કોરોનાલક્ષી કામગીરી સાથે સંકળાયેલા હતા. રાજકોટમાં આ પ્રકારના સામૂહિક સંક્રમણનો સોથી મોટી ઘટના છે.
બીજી તરફ રાજકોટની હોસ્પિટલો પણ ભરાઈ રહી છે. જે તંત્ર માટે પણ આ મોટો પડકાર છે. જો કે, બીજી તરફ સરકારે પણ કચેરી અને ઓફિસમાં 50 ટકા સ્ટાફથી કામ કરવાનો આદેશ કર્યો છે. લોકોને પણ અપીલ કરાઈ છે કે, જરૂર વગર કચેરીઓમાં જવું નહીં.