લોકડાઉન 4.0 દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં ST બસ સેવા શરૂ કરાઈ છે. રાજકોટ, સુરત અને વડોદરામાં બસ સેવા શરૂ કરાઇ છે. રાજકોટ શહેરમાંથી આજે અન્ય 3 જિલ્લા માટે ST બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં આજથી અન્ય 3 જિલ્લાઓની બસ થઈ શરૂ
રાજકોટ-જામનગર, રાજકોટ-મોરબી, રાજકોટ-ભુજની ST શરૂ
6354918738 હેલ્પ લાઇન નંબર પર લોકો કરી શકે છે સંપર્ક
રાજકોટમાં આજથી અન્ય 3 જિલ્લાઓની ST બસ શરૂ કરવામાં આવી છે. આજથી રાજકોટથી જામનગર, રાજકોટથી મોરબી, રાજકોટથી ભુજની ST બસ શરૂ થઈ છે. તંત્ર દ્વારા તબક્કાવાર બસોને દોડાવવાનું શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ મુસાફરો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે. 6354918738 હેલ્પ લાઇન નંબર પર લોકો સંપર્ક કરી શકે છે
રાજકોટમાંથી આ જિલ્લાઓની શરૂ કરાઇ બસ
રાજકોટ થી જામનગર
રાજકોટ થી મોરબી
રાજકોટ થી ભુજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન 4ની ગાઈડલાઈનની જાહેરાત કરતી વખતે અમદાવાદમાં પ્રવેશ સિવાય એસટી બસોની સેવા શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે મામલે એસટી નિગમ દ્વારા રાજ્યમાં બસો દોડાવવાને લઈ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર ઝોન, દક્ષિણ ગુજરાત ઝોન, ઉત્તર ગુજરાત ઝોન અને મઘ્ય ગુજરાત ઝોન એમ ચાર ઝોનમાં એસટી સેવા શરૂ કરવામાં આવી હતી.
ST વિભાગ દ્વારા મુસાફરો, ડ્રાઇવર અને કંડકટરનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ST બસમાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યાં છે.