રાજકોટમાં આવતીકાલથી એક અઠવાડિયા માટે સોની બજાર બંધ સ્વંભૂ બંધ રહેશે.
કાલથી 19 સપ્ટેમ્બર સુધી સોની બજારમાં લોકડાઉન
સોની સમાજના લોકોમાં વધ્યુ સંક્રમણ
50 દિવસમાં સોની સમાજના 40 લોકોના મૃત્યુ
રાજકોટમાં આવતીકાલથી એક અઠવાડિયા માટે સોની બજાર બંધ સ્વંભૂ બંધ રહેશે. 19 સપ્ટેમ્બર સુધી સોની બજાર સ્વયંભૂ બંધ રહેશે. આ માટે કોરોનાનું વધતું સંક્રમણ જવાબદાર છે. છેલ્લા 50 દિવસમાં સોની સમાજના 40 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. સોની વેપારી એસોસિએશન દ્વારા સોની બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1332 નવા કેસ સાથે કુલ આંક 1,09,627 પર પહોંચ્યો છે. તો આજે 1415 દર્દીઓ સાજા થયા છે. જેને લઇને કુલ 90230 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.31% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3167 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 72151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 16230 કોરોના એક્ટિવ કેસ છે. જ્યારે 91 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 124, રાજકોટમાં 150 કેસ બાદ સૌથી વધુ 105 કેસ જામનગરમાં નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ વલસાડમાં 2, અરવલ્લીમાં 3, દ્વારકામાં 5 અને આણંદ-તાપીમાં 7-7 નોંધાયા છે. મહાનગરો બાદ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા વધી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.