રાજકોટમાં ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા કરતા વિવાદમાં આવી જેને લઈ DEOએ જણાવ્યું કે શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે છે, ફી લઈ પ્રવેશ નક્કી ન કરી શકે
રાજકોટમાં ધોરણ 11માં પ્રવેશ આપવા મામલે વિવાદ
શાળાઓ પ્રવેશ ફોર્મ વિતરણ કરી શકે છેઃ DEO
પરંતુ શાળાઓ ફી લઇ પ્રવેશ નક્કી ન કરી શકેઃ DEO
રાજકોટમાં ખાનગી શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાનું શરૂ કરતા વિવાદમાં આવી છે જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે છે પરતું પ્રવેશ ફી લઈને પ્રવેશ નક્કી નહી કરી શકે.
રાજકોટમાં ધોરણ 11માં પ્રવેશ આપવા મામલે વિવાદ
રાજકોટમાં ખાનગી શાળાઓએ શાળામાં પ્રવેશ આપવાનનું શરૂ કરી દેવાતા વિવાદમાં આવી છે, શાળાઓએ LC અને માર્કશીટ વિના જ પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમગ્ર મામલે નિવેદન આપી ખુલાસો આપતા જણાવ્યું કે શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે છે પરતું પ્રવેશ નક્કી ન કરી શકે, જિલ્લા શિક્ષણ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી સરકારે ધોરણ 11ના પ્રવેશ અંગે નિર્ણય નથી લીધો, માર્કશીટ અંગે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પ્રવેશ પ્રક્રિયા નિર્ણય લેવો નિર્થક છે.
માસ પ્રમોશન બાદ પ્રવેશ 11માં ધોરણમાં પ્રવેશ
શાળાએ લીધેલી કસોટીના આધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થશે. જેથી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલી ન પડે, ત્યારે રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેતા વિવાદમાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળમાં સરકારે શાળાઓમાં પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ધોરણ 1થી11 અને બાદમાં ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ખાનગી શાળાઓ ધોરણ 11માં પ્રવેશ આપવાની કાર્યવાહી કરતા વિવાદ સર્જાયો છે.
શાળાઓ ફી લઈને પ્રવેશ નક્કી કરી શકે નહી : DEO
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ ફાયદો થયો છે વળી જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું છે તે વિદ્યાર્થીઓની માર્કશીટમાં માસ પ્રમોશન લખવામાં નહી આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે હજુ સરકાર દ્વારા માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કરાયો નથી તેવું જિલ્લા શિક્ષણ અધિકારીઓ જણાવ્યું છે, ત્યારે ખાનગી શાળાઓ પ્રવેશ ફોર્મનું વિતરણ કરી શકે પરતું શાળાઓ ફી લઈને પ્રવેશ નક્કી કરી શકે નહી તેવું જણાવ્યું હતું.