બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટના સતાધાર મહંત વિજયબાપુએ નરેન્દ્ર સોલંકી પર કરેલા આરોપોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો

આરોપ / રાજકોટના સતાધાર મહંત વિજયબાપુએ નરેન્દ્ર સોલંકી પર કરેલા આરોપોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો

Last Updated: 05:04 PM, 10 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, ''મારી અને વિજય ભગતની શારીરિક તપાસ કરવામાં આવે તેમજ ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે''

રાજકોટના સતાધાર મહંત વિજયબાપુએ નરેન્દ્ર સોલંકી પર કરેલા આરોપોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુ પર વળતો પ્રહાર કર્યો છે તેમજ ગીતાબેન અને વિજયભગતનો ગરબા સમયે એકબીજા સામે ઈશારા કરતો વીડિયો જાહેર કર્યો છે. સતાધારના દરેક કાર્યક્રમોમાં ગીતાબેનની હાજરીના વીડિયો પણ જાહેર કર્યા છે. ત્યારે હવે વિવાદ વધુ વકર્યો છે.

''સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો''

તેમણે કહ્યું કે, ''મારી અને વિજય ભગતની શારીરિક તપાસ કરવામાં આવે તેમજ ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે. સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો'' વધુમાં કહ્યું કે, ''વિજય ભગત અને ગીતાબેન સિવાય બીજા બે કોણ છે તે જાહેર કરો'' તેમજ ગીતાબેન કોણ છે તેનું સત્ય જાહેર કરવામાં આવે તેવી નરેન્દ્ર સોલંકીએ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુની નિયમ પ્રમાણે તિલક વિધિ ન થઇ હોવાનો પણ દાવો કર્યો છે.

અગાઉ પણ નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો

થોડા દિવસ અગાઉ સતાધાર વિવાદ મામલે આપાગીગા સ્થળના મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. આ પત્રમાં સતાધારમાં જે ટ્રસ્ટીની જગ્યા ખાલી છે ત્યાં તેમની નિમણૂકની માંગણી કરી હતી. નરેન્દ્ર સોલંકીએ પત્રમાં દાવો કરતા કહ્યું હતું કે, સતાધાર ગાદીનો હું સીધો વારસદાર છું. એવામાં મેં કોઈ દિવસ ગાદી માટે વિવાદ કર્યો નથી. વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થયા છે. તો તેમને આ મામલે જવાબ આપવો જોઈએ. હાલ મેં વિજય ભગત અને ગીતાબેનને આ પત્ર લખીને જવાબ આપવા માટે કહ્યું છે. જો તેઓ પત્રનો જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં વિજય હટાવો આંદોલન કરવામાં આવશે. આ પત્રમાં નરેન્દ્ર સોલંકીએ ચીમકી આપતાં કહ્યું કે, જો મારા પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હું આ મામલે વધારે ખુલાસા કરીશ.

આ પણ વાંચો: ટિકિટ આપી નહીં છતાં લોકો પાસે પહોંચી! અમદાવાદ ફ્લાવર શૉમાં AMC સાથે ખેલ થયો

PROMOTIONAL 7

વિવાદ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ

તમને જણાવી દઇએ કે છેલ્લા બેથી ત્રણ મહિનાથી સતાધાર ગાદીનો વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. એવામાં હવે આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ આ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું. તેવામાં આ વિવાદ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Satadhar Controversy Satadhar Mahant Controversy Vijaybapu Narendra Solanki Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ