રાજકોટ શહેરમાં જયરાજસિંહ જાડેજા નામના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. આ વિદ્યાર્થી S Y B.com માં અભ્યાસ કરતો હતો. રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં અભ્યાસ કરતા જયરાજસિંહની બજરંગવાડી વિસ્તારમાં હત્યા થઈ હતી.
વાહન અથડાવા બાબતે થયેલી બોલાચાલીને પગલે તેની હત્યા થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. મૃતક જયરાજસિંહ જાડેજા રાજકોટ શહેરના NSUI મંત્રી પણ હતાં.
આ ઘટના અંગે મળેલા અહેવાલ મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને રાજકોટની જાણીતી ક્રાઇસ્ટ
કોલેજમાં અભ્યાસ કરતા જયરાજસિંહ જાડેજા તેના ભાઇ સાથે બપોરે એક્ટિવા લઇને પસાર થતાં હતા ત્યારે બુલેટ ચાલક સાથે સામાન્ય અકસ્માત થતાં બોલાચાલી થઇ હતી જેના પગલે બુલેટસવાર આડેધડ છરીના ઘા ઝીંકી નાસી છુટ્યો હતો. જો કે ત્યારબાદ ઘાયલ થયેલ બંને ભાઇઓને સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા જ્યાં વિદ્યાર્થી જયરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યું હતું.