છેલ્લા થોડા દિવસોમાં RUDAના આવાસ માટે લોકો ફોર્મ ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. ફર્નિચરવાળા ફ્લેટ હોવાની અફવાના કારણે ફોર્મ ભરવાની સંખ્યા વધી છે. જેને લઇને રાજકોટ RUDA(રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી) દ્વારા આવાસ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ રૂડાએ જણાવ્યું કે, મનપા દ્વારા બનાવમાં આવતા આવાસો ફર્નિચરવાળા જ બનશે. રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો ફર્નિચરવાળા નહીં બને. લોકો ફર્નિચરવાળા આવાસ સમજી ફોર્મ ભરવા લાગ્યા છે.
રાજકોટમાં લોકો ગેરમાર્ગે ન દોરાઈ તે માટે રૂડાની અપીલ
મનપા બનાવશે તેવા આવાસો જ બનશે ફર્નિચરવાળા
રૂડા દ્વારા લોકોને કરાઈ અપીલ
રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી(RUDA) પ્રધાનમંત્રી યોજના હેઠળ અલગ અલગ જગ્યાઓ પર આવાસ બનાવી રહ્યું છે. આ આવાસમાં 688 આવાસ ખાલી હોવાથી તેને ફાળવવા માટે ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ એક એવી અફવાના કારણે ફોર્મ ભરાવાની સંખ્યા વધી ગઇ છે. 2 દિવસની અંદર 3198 ફોર્મનું વેચાણ થયું છે. લોકોમાં ફર્નિચરવાળા આવાસ આપવાના હોવાની અફવાના કારણે ફોર્મનું વેચાણ વધી ગયું છે. જોકે આ અંગે રૂડા દ્વારા સ્પષ્ટા કરવામાં આવી અને લોકોને અપીલ પણ કરવામાં આવી છે. રૂડાએ કહ્યું કે, રૂડા દ્વારા બનાવવામાં આવતા ફ્લેટમાં ફર્નિચરની કોઇ સુવિધા આપવાની યોજના નથી. રૂડા લોકોને અપીલ કરી છે કે, કોઇ ગેરમાર્ગે ન દોરાઈ. બે દિવસમાં RUDAમાં 5 હજારથી વધુ ફોર્મ ઉપડ્યા છે. માત્ર લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં ફર્નિચર જ અપાશે.
2 દિવસમાં રૂડાના આવાસ માટે 3198 ફોર્મ ભરાયા
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જુદા જુદા સ્થળો પર આવાસ નિર્માણ કરી રહ્યું છે. આ આવાસમાં 688 આવાસ ખાલી રહેતા તે ફાળવવા માટે ફોર્મ વિતરણ શરૂ કર્યું છે. ફોર્મ વિતરણના બે દિવસમાં 3198 ફોર્મનું વેચાણ થયું છે. ફર્નિચરવાળા ફ્લેટ આપવાના હોવાની અફવાના પગલે ફોર્મ વેચાણ વધી ગયું છે. આ અંગે રૂડાએ સ્પષ્ટતા કરી છે કે, ફ્લેટમાં ફર્નિચરની કોઇ સુવિધા આપવાની યોજના નથી.
આવાસો ફર્નિચરની સગવડતા સાથે આપવાના છે તે વાત સાચી નથીઃ રૂડાના મુખ્ય કારોબારી અધિકારી
રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ આ અંગે જણાવ્યું હતું કે, ઘરના ઘરનું સપનું પૂર્ણ કરવા ઇચ્છતા તમામ આસામીઓને અપીલ છે કે આવાસ યોજનાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 જાન્યુઆરી છે, તેથી તે પહેલા ફોર્મ મેળવી ફોર્મ ભરી પરત કરવા જોઇએ. રૂડા જે ખાલી આવાસ યોજનાના ફોર્મ વિતરણ થઇ રહ્યા છે તે આવાસો ફર્નિચરની સગવડતા સાથે આપવાના છે તે વાત સાચી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઉત્તમ ગુણવત્તાનું મટિરિયલ્સ, રસોડામાં કોટા સ્ટોન, બાથરૂમ ફિટિંગ, બારી દરવાજા વગેરે સુવિધા આપવામાં આવશે.