રાજકોટમાં પણ પાણીપૂરીના કેટલાક નમૂના ફેલ. રાજકોટ મહાનગરપાલિકાની ઝુંબેશમાં મળ્યું ભારે બેક્ટેરિયાયુક્ત પાણી.
રાજકોટમાં પાણીપૂરીના નમૂના ફેલ
દૂષિત પાણી વેંચાય છે પાણીપૂરીમાં
રોગચાળા વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક
ગુજરાતમાં ચોમાસા દરમિયાન વકરતાં રોગચાળા વચ્ચે પાણીપૂરીના ચટાકા ભારે પડી શકે છે.રાજકોટમાં લેવાયેલા પાણીપૂરીના નમૂનામાંથી કેટલાક સેમ્પલ ફેલ આવતા રાજકોટીયન્સના આરોગ્ય પર ખતરો ઝળુંબી રહ્યો છે.આપને,જણાવી દઈએ કે, ગત સપ્તાહે જ અમદાવાદના પોસ વિસ્તારોમાં પાણીપૂરીના નમૂના લેવાયા હતા જેમાં બેક્ટેરિયાયુક્ત દૂષિત પાણી જણાઈ આવ્યું હતું.
વકરતો રોગચાળો
રાજકોટ મહાનગર પાલિકાએ એક ઝુંબેશના ભાગરૂપ શહેરમાં પાણીપૂરીનું વેચાણ કરતા કેટલાક વેપારીઓને ત્યાંથી પાણીપૂરીના સેમ્પલ એકત્રિત કર્યા હતા.મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને 4 સેમ્પલ્સમાંથી ઈ -કોલી પ્રકારનો બેક્ટેરિયા માલુમ પડ્યો છે.રાજકોટ મહાનગરમાં મેલેરિયા,ડેંગુ,ફાલ્સિફેરમ જેવા પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે, મહાનગરપાલિકાએ દૂષિત ખાદ્ય પદાર્થ વેંચનારાઓ સામે કડક હાથે કામ લેવાની પ્રકિયા હાથ ધરી છે.
અમદાવાદમાં પણ આ જ સ્થિતિ
અમદાવાદના ખૂણે-ખાંચરે પાણીપુરીના ખુમચાવાળાઓ ઉભા હોય છે.અને ગૃહિણીઓના ટોળા લહેજતથી પાણીપુરી આરોગવાના દૃશ્યો હવે સરળતાથી જોઈ શકાય છે. એક તો કોરોનાનો ભય ઓસરી ગયો છે,બીજું તહેવારોમાં ખરીદી કરવા સાથે થોલું હળવું આરોગવાની માનસિકતા પણ હોય શકે. પરંતુ,આ લહેજત પાછળથી તમને બીમાર પણ પાડી શકે છે.અમદાવાદ મહા નગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં એક સેમ્પલ સર્વે કર્યો. આ સર્વેમાં મહાપાલિકાએ જુદી-જુદી વસ્તુઓના મળીને લગભગ 460 સેમ્પલ્સ એકત્રિત કર્યા. જેમાંથી 421ના પરિણામ મળ્યા હતા. આ પરિણામમાં જે તથ્ય સામે આવ્યું એ પણ ચોકાવનારું હતું. 421 સેમ્પ્લમાંથી 10 તો મિસ બ્રાંડ આવ્યા .જ્યારે પાંચને અસુરક્ષિત જાહેર કર્યા છે. આ પાંચમાં 3 નમૂના પાણીપુરીના છે. સેટેલાઈટ વિસ્તારમા જગદીશ શાહ પકોડી સેન્ટર તેમજ નવરંગપુરાની આર કીશનની પાણીપુરીનુ પાણી પ્રદુષિત એટલેકે બેક્ટેરિયા વાળું હતું.તો પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા ભાવનાબહેનનની પાણીપુરીની ચટણીમાં કલર હતો