રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. બીજી તરફ, ભાવનગર-મુંબઈ ફ્લાઈટ ગત સપ્તાહથી બંધ કરાઈ
રાજકોટ-મુંબઇ વચ્ચે વધુ એક ફ્લાઇટ
27મી માર્ચથી શરૂ થશે ફ્લાઇટ
સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ કરશે ઓપરેટ
રાજકોટથી હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આનંદના સમાચાર એ છે કે રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. બપોરે 3-30 કલાકે મુંબઇથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી ઉડાન ભરશે.રાજકોટથી મુંબઇ જનારા મુસાફરોને ધ્યાને રાખી નવી ફ્લાઇટ શરૂ કરાઇ છે.
ભાવનગરથી મુંબઇ વચ્ચેની હવાઇ સેવા અંતર્ગત એર ઇન્ડીયાની એર-લાઈન્સની ફ્લાઇટ આગામી તા.7મી માર્ચથી બંધ કરવામાં આવી હતી.ગત સપ્તાહથી જ ફ્લાઈટ બંધ થતા જ એર ઇન્ડીયાના ભાવનગર ખાતેના 12 કર્મચારીઓની બદલીની પ્રક્રિયાઓ શરુ કરવામાં આવી છે . એર ઇન્ડીયાના ભાવનગર ખાતેના કુલ કર્મચારીઓ પૈકી 12ની બદલીઓ અન્ય હવાઇ મથકો ખાતે કરવામાં આવી હોવાની ચર્ચાઓ છે.
કહેવાય છે પર્યાપ્ત માત્રામાં મુસાફરો નાં મળતા ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, રાજકોટ -મુંબઈ વચ્ચે નવી ફ્લાઈટ શરુ કરવામાં આવનાર છે. જે આગામી 27 માર્ચથી શરુ કરવામાં આવશે.