રાજકોટઃ શહેરમાં આરોગ્ય વિભાગનાં કેટલાંક અધિકારીઓએ શાળા-કોલેજની બહાર રહેલી નાસ્તાની લારીઓ પર દરોડા પાડ્યાં છે. કુંડળીયા અને માલવીયા કોલેજની બહાર આવેલી લારીઓ પર તેઓએ તપાસ હાથ ધરી હતી. કોલેજની બહાર ઊભી રહેલી નાસ્તાની લારીઓ પરથી કલર વાસી બટાકા બ્રેડ સમોસા અને દાળવડાનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ 185 કિલો અખાદ્ય પદાર્શનો નાશ કર્યો છે.
મહત્વનું છે કે હવે ચોમાસાની ઋતુનો આરંભ થઇ ગયો છે. ત્યારે આ વરસાદી માહોલમાં ખોરાક પણ બગડી જવાની સંભાવના વધુ રહે છે. એટલે કે ખોરાક વાસી થઇ જવાની સંભાવના પણ વધુ રહે છે ત્યારે આરોગ્ય વિભાગે ચોમાસાની ઋતુમાં ખોરાક ખાવાથી લોકોનાં સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગે શહેરમાં આવેલી લારીઓ પર તવાઇ બોલાવી હતી. તેઓએ ત્યાં અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જેમાં ખાસ કરીને ફાસ્ટ ફૂડનો વધારે નાશ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં લોકોને દાળવડા તેમજ સમોસા અને અન્ય એવી ગરમ ગરમ ચીજવસ્તુઓ ખાવાનો શોખ હોય છે ત્યારે તેઓનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ચારે બાજુ તવાઇ બોલાવી અને લારીઓમાંથી અખાદ્ય જથ્થો કબ્જે કરીને તેનો નાશ કર્યો હતો. તેમજ બિનજરૂરી ખાદ્ય સામગ્રીનો પણ નાશ કર્યો હતો કે જેનાંથી જનતાને નુકસાન થઇ શકવાની સંભાવના છે. આ દરોડાને લઇને લારી ચલાવનારા લોકોમાં પણ ભારે ફફડાટ મચી ગયો હતો.