કોરોના મહામારી વચ્ચે રાજકોટની નિલકંઠ હોસ્પિટલે ઉઘાડી લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. કોરોનાના દર્દી પાસેથી ખોટી રીતે રૂપિયા વસૂલ્યા છે. ગાઈડલાઈન કરતા વધુ રૂપિયા નીલકંઠ હોસ્પિટલે લીધા હોવાનો ખુલાસો થયો છે.
નિલકંઠ હોસ્પિટલે ચલાવી ઉઘાડી લૂંટ
દર્દી પાસેથી ખોટી રીતે વસૂલ્યા રૂપિયા
કોરોનાના દર્દી પાસેથી હોસ્પિટલે દોઢ લાખ રૂપિયા વધુ લીધા છે. દર્દીના બિલનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. VTVએ નીલકંઠ હોસ્પિટલની મનમાનીનો અહેવાલ બતાવ્યો હતો. અહેવાલ બાદ તપાસના આદેશ અપાયા હતા.
તપાસમાં દર્દી પાસેથી વધારાના લીધેલા દોઢ લાખ પરત કરવાનો આદેશ કરાયો છે. સિટી પ્રાત અધિકારીએ વધારાના રૂપિયા પરત કરવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે 15 દિવસનો ચાર્જ 4 લાખ રૂપિયા વસૂલાયાનો બિલ મારફતે દાવો કરવામાં આવ્યો હતો. 15 દિવસની લેબોલેટરીનો ચાર્જ 1 લાખથી વધારે લેવામાં આવ્યો હતો.
સળગતા સવાલ
ખાનગી હોસ્પિટલો સરકારના નિયમો કેમ નેવે મુકી દીધા?
નિલકંઠ હોસ્પિટલ દ્વારા કેમ આટલો ચાર્જ વસુલાયો?
શું એક દર્દી પાસેથી જ વધારે રૂપિયા વસૂલ્યા છે?
કેટલા દર્દીઓ પાસેથી વધુ રૂપિયા વસૂલ્યા હશે તેની તપાસ થશે?
શું જવાબદાર માધ્યમ તરીકે VTV અહેવાલ દર્શાવે પછી જ તપાસ કરશો?