રાજકોટ: આજે પ્રમુખસ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ છે. ત્યારે BAPS સંસ્થા દ્વારા રાજકોટમાં આજથી પ્રમુખ સ્વામીના જન્મજયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ નજીક આવેલ માધાપર ખાતે 5 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ-વિદેશથી લાખો હરિભક્તો ખાસ હાજર રહેવાના છે.
આજે વહેલી સવારે રાજકોટ ખાતે આ કાર્યક્રમની વિધિવત રીત શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તથાં અન્ય સ્થાનિક અગ્રણીઓ અને સાધુ-સંતો તથા સંપ્રદાયના અનુયાયીઓ ખાસ હાજર રહ્યા હતા.
પ૦૦ એકર જમીન પર વિરાટ મહોત્સવનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ભવ્ય પ્રદર્શન ખંડો તથા અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
કાર્યક્રમને લઇ કેટલાક માર્ગો પણ ભારે વાહનો માટે કરાયા બંધ
કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા બનાવાયો છે ખાસ રોડ મેપ
30 હજાર લોકો ગ્રાઉન્ડમાં બેસી શકે તેવી વ્યવસ્થા
22 હજાર સ્વયં સેવકો રહેશે સેવામાં@vijayrupanibjp@CMOGujpic.twitter.com/2r65R2PEuS
આ સાથે જ ૮૦૦ સંતો અને રર હજાર સ્વયંસેવકોની ખડેપગે સેવા કરશે. તો આ સાથે જ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મહોત્સવના સ્થળ સુધી પહોંચવા માટે 50 એસટી બસ દોડાવવા નિર્ણય કર્યો છે.