તાજેતરમાં જ રાજકોટથી અમદાવાદ બદલી થયેલા PSI એસ.વી.સાખરા પર ગાળિયો કસાયો, રાજકોટના સોની વેપારીએ લગાવ્યા હતા ગંભીર આરોપ
રાજકોટ પોલીસના તોડકાંડનો મામલો
અમદાવાદ સુધી કાર્યવાહીના પડઘા
PSI સાખરાને કંટ્રોલરૂમમાં મુકાયા
રાજકોટ પોલીસ કમિશનકાંડની કાર્યવાહીના પડઘા અમદાવાદમાં પડ્યા છે. PSI S.V. સાખરા સામે અમદાવાદ પોલીસ કમિશનરે સકંજો કસ્યો. PSI સાખરાને ક્રાઈમબ્રાંચમાંથી કંટ્રોલરૂમમાં મુકાયા. તાજેતરમાં જ રાજકોટથી અમદાવાદમાં બદલી થઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનરે PSI સાખરાની બદલી કરી દીધી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યા સુધી તેઓ કંટ્રોલરૂમમાં ફરજ બજાવશે. રાજકોટના સોની વેપારીએ ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. 2 કરોડ રૂપીયા પડાવવા માટે ટોર્ચર કર્યાનો PSI પર આરોપ છે. રાજકોટ કમિશનકાંડમાં ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
DGP વિકાસ સહાયના હાથમાં તપાસ
DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા બે વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર અંગે તપાસ કરશે. તેઓ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચનો રોલ અને પોલીસ કમિશનર પાસેની કુલ મિલકતની તપાસ કરી શકે છે. સાથેજ કમિશનર મનોજ અગ્રવાલ સામે પણ જે આક્ષેપો લાગ્યા છે. તેની પણ તપાસ થશે.
30 ટકા કમિશનની વાત
આ બનાવ વિશે જો વિગતવાર વાત કરીએ તો કમિશનર મનોજ અગ્રવાલ પર આરોપ લાગ્યા છે કે તેમણે ફરિયાદી મહેશ સખીયા પાસેથી કમિશન પેટે ઉઘરાણી કરી હતી. રાજકોટના ફરિયાદી મહેશ સખીયાના 15 કરોડ ફસાયા હતા જેથી તેમણે કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી. જેથી કમિશનરે PI દ્વારા 30 ટકા કમિશનની વાત કરી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
સાંસદ રામ મોકરિયાનું નિવેદન
સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજકોટ પોલીસ હથિયાર માટે રૂપિયા પડાવે છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે જે રૂપિયા આપે તેનીજ ફરિયાદ નોંધવામાં આવે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે જમીન માફિયા, વ્યાજખોરો અને બુટલેગરોને પણ પોલીસ સાચવે છે. સાથેજ તેમણે કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. વધુમાં તેમણે એવું પણ કીધું કે પોતાનો રેકોર્ટ સારો રાખવા મનોજ અગ્રવાલ પ્રયાસ કરી રહ્યા છે.
કમિશનરની મિલકતની પણ તપાસ થશે
ઉલ્લેખનીય છે કે પોલીસ મેન્યુઅલ મુજબ સિનિયરને તપાસ સોંપવી પડે તેવો નિયમ હોય છે. જેથી DGP વિકાસ સહાય મનોજ અગ્રવાલ કરતા 2 વર્ષ સિનિયર અધિકારી છે. જેથી હવે તેઓ ગોવિંદ પટેલના પત્ર અંગે તપાસ કરષે. જેમા પોલીસ કમિશનરની મિલકત અને ક્રાઈમ બ્રાન્ચનો રોલ પણ આ કેસમાં તપાસ થશે.