કહેવાય છે કે જ્યારે માનવીની ધીરજ ખુટ છે,ત્યારે તે ગમે તે કરી શકે છે. અકળામણ જ્યારે રોષ બનીને ભભૂકે છે ત્યારે વિવેકભાન ભૂલી જાય છે. ગઇકાલે રાજકોટના શાપર-વેરાવળ ખાતે પરપ્રાંતિયો દ્વારા મીડિયા અને પોલીસકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ વધુ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલાનો મામલો
હુમલો કરનારા વધુ 17 લોકોની પોલીસે કરી ધરપકડ
અત્યાર સુધીમાં પોલીસે 46 લોકોની કરી છે ધરપકડ
રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હુમલો કરનારા વધુ 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શાપર-વેરાવળ ખાતે તોફાન કરનારા લોકોને ઝડપીને સરકાર દ્વારા પાસા હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સરકારના આ આદેશ બાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જેને લઇને આજે વધુ 17 લોકોની ધરપકડ કરાતાં કુલ 46 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
CM વિજય રૂપાણીએ આપ્યાં હતા તપાસના આદેશ
રાજકોટના શાપરમાં પત્રકાર તેમજ પોલીસ પર થયેલા હુમલાને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યાં હતા. જેમાં રેન્જ આઇજીને તપાસનો આદેશ અપાયો હતો. સીએમ રુપાણીએ જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.