રાજકોટ PGVCL દ્વારા પોતાના ગ્રાહકો ફ્રોડનો શિકાર ના થાય તે માટે અપીલ કરીને કહ્યું SMSથી કોઈપણ માહિતી કે OTP માંગે તો આપવા નહિ
PGVCL દ્વારા ગ્રાહકોને અપીલ
SMSથી કોઈપણ માહિતી કે OTP માંગે તો આપવા નહિ
PGVCLના નામે મેસેજ આવે તો અમને જાણ કરો
રાજ્યમાં અત્યારે હાલ મોબાઈલમાં મેસેજ મોકલી અને OTP માંગીને છેતરપિંડી આચરવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈ રાજકોટ PGVCL દ્વારા પણ પોતાના ગ્રાહકોને આવા ફ્રોડનો શિકાર ના થાય તે માટે અપીલ કરી છે. PGVCL દ્વારા જણાવાયું છે કે, અમારા તરફથી વીજ બિલ ચુકવણી અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી, આ સાથે જો કોઈ SMSથી કોઈપણ માહિતી કે OTP માંગે તો આપવા નહિ.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પોતાના ગ્રાહકોને એક અપીલ કરવામાં આવી છે. વિગતો મુજબ હાલ રાજ્યમાં વીજ કંપનીઓના નામથી લોકોને SMS મોકલી તેમની પાસેથી OTP મેળવી છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે. જેને લઈ હવે PGVCL દ્વારા પણ પોતાના ગ્રાહકોને આ બાબતે એક અપીલ કરી આવા કોઈ મેસેજનો જવાબ નહીં આપવા જણાવાયું છે.
PGVCLના નામે મેસેજ આવે તો અમને જાણ કરો
PGVCL કચેરી દ્વારા જણાવ્યું છે કે, જો આવો કોઈ મેસેજ આવે તો તાત્કાલીક PGVCL કચેરીએ જાણ કરવા અપીલ કરાઇ છે. અમારા દ્વારા XX-PGVCLG લિંકથી SMS મોકલવામાં આવે છે. આ સિવાયના SMSને અવગણવા PGVCL દ્વારા જણાવવામાં આવ્યું હતું.