રાજકોટમાં ધોરાજીના વેગડી ગામે ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાવવા મામલે તંત્રએ કાર્યવાહી કરી વેગડી GIDCમાં ચાર કારખાના બંધ કરાવ્યા
રાજકોટમાં ઔદ્યોગિક પ્રદૂષણને લઇ કાર્યવાહી
તંત્રએ વેગડી GIDCમાં 4 કારખાના કરાવ્યા બંધ
ઓદ્યોગિક પ્રદૂષણને લઇ આખરે લેવાયા પગલા
રાજકોટમાં ધોરાજીના વેગડી ગામે ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાવવા મામલે તંત્રએ કાર્યવાહી કરી વેગડી GIDCમાં ચાર કારખાના બંધ કરાવ્યા છે. મહત્વનું છે કે ખેડૂતા આપઘાત અને ગ્રામજનોના રોષ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
ઔદ્યોગિક પ્રદૂષણને લઇ આખરે લેવાયા પગલા
ધોરાજીના વેગડી ઔદ્યોગિક વસાહતના પ્રદુષણ ફેલાવતા ચાર ઉદ્યોગો એકમો મિહિર પોલીપ્લાસ્ટ, ઈશા પ્લાસ્ટીક, રાજા પોલીપ્લાસ્ટ, તેમજ ઓમ પેકેજીંગના ઉદ્યોગ પર તંત્રે કાર્યવાહી હાથ ધરી ચારેય એકમોની લાઇટ-પાણીના સુવિધા તાત્કાલિક બંધ કરી દેવાઈ છે અને પ્રદૂષણ ફેલાવતા એકમોને બંધ કરવાનો હુમક કર્યો છે.
તંત્રએ વેગડી GIDCમાં 4 કારખાના કરાવ્યા બંધ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામે ઔદ્યોગિક વસાહતના કારણે પ્રદુષણના કારણે જમીન તથા પાકને નુકસાન થતું હોવાનું અનેક રજૂઆત કરવામાં આવતા રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ કર્યા હતા અને ધોરાજી પ્રાંત અધિકારીના સંકલનમાં રહી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર તરફથી વેગડી જીઆઈડીસીના ચાર એકમો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં ઔદ્યોગિક પ્રદૂષણને લઇ કાર્યવાહી
મહત્વનું છે કે વેગડીની GIDC દ્વારા ફેલાતા પ્રદૂષને લઈ ખેડૂતના આપઘાત કરાયાની ઘટના સામે આવી હતી જે બાદ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ ન્યાની માંગ સાથે બેનરો લઈ સુત્રોચ્ચાર કર્યો હતો જે બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને કાર્યવાહી કરવામાં આવી હતી હજુ પણ તંત્ર દ્વારા સર્વની કામગીરી ચાલુ છે ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવવામાં કસૂરવાર જણાશે તો કડડ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જણાવાયું છે.