દેશભરમાં જ્યાં ડુંગળીને લઇને જ્યાં વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ ગૃહિણીઓ માટે ડુંગળીને લઇને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં સતત ત્રીજા દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
એક મણ ડુંગળીનો ભાવ 1000ની આસપાસ
સોમવારે એક મણ ડુંગળીનો ભાવ 1700-2000 હતા
સતત છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. ત્યારે ગૃહિણીઓને લઇને ડુંગળીના ભાવમાં ઘટાડાને લઇને રાહતના સમાચાર સામે આવ્યા છે.
હાલ માર્કેટીંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ એક હજારની આસપાસ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ 1700 થી 2000ની વચ્ચે જોવા મળ્યો હતો.
સરકાર દ્વારા ડુંગળીના સંગ્રહ કરવાના નિયમો કડક બનાવતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી સમયમાં હજુ ભાવ ઘટે તેવી શક્યતા છે. જો કે ખેડૂતોને ગોંડલ કરતા ઘણા નીચા ભાવો જોવા મળ્યા હતા.
જો કે બે દિવસથી રાજકોટ અને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 50 ટકા કરતા વધારે ઘટાડો થતાં ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કરતાં કહ્યું કે બે દિવસ અગાઉ ડુંગળીના ભાવ એક મણના 2000થી 2200 હતા જે ઘટીને 1000 થી 1100 સુધી પહોંચી ગયા છે.