રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલનું બિલ વાયરલ થયું છે. જેમાં 15 દિવસનો ચાર્જ 4 લાખ રૂપિયા વસુલાયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની નિલકંઠ કોવિડ હોસ્પિટલનું બિલ વાયરલ થતા પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા હતા અને તેમણે બંને પક્ષે વાત સાંભળવાની વાત કરી હતી.
જો કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલે સરકારની ગાઈડલાઈન કરતા વધારે પૈસા લીધા છે. ત્યારે આ પ્રકારે કેટલા પરિવારના લોકો પાસે રૂપિયા પડાવ્યા હતા.
15 દિવસમાં 4 લાખો ચાર્જ ક્યા ધારાધોરણથી લીધા છે અને એવી તો કઈ લેબ છે અને શું ટેસ્ટ કર્યા છે કે તેનું બિલ 1 લાખ આવ્યું છે. પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ તપાસના આદેશ આપ્યા છે. જો કે હવે આ મામલે શું પગલા લેવાય છે તે જોવાનું રહેશે.
સળગતા સવાલ
શું સરકારના નિયમો નેવે મુકી દિધી?
નિલકંઠ હોસ્પિટલ દ્વારે કેમ આટલો ચાર્જ વસુલાયો?
દર્દીઓને કેમ લૂંટવામાં આવી રહ્યા છે?
તપાસના આદેશ તો આપ્યા છે પરંતુ તપાસ થશે ખરી?
શું દર્દીના પૈસા તેને પાછા મળશે?
સરકારે ચાર્જ નક્કી કર્યો છતા કેમ આટલો ચાર્જ લેવાયો?