ગોંડલની સબ જેલમાં જલસાકાંડનો આરોપી ફરાર થયો છે. આરોપી નિખિલ દોંગા ભૂજમાંથી ફરાર થયો છે. સબ જેલમાં જલસાકાંડ પછી ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો. નિખિલ દોંગા ભૂજની પાલારા ખાસ જેલમાં હતો. ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
નિખિલ દોંગાની ધરપકડ બાદ વધુ 5 ગુના નોંધ્યા
ગોંડલની નિખિલ ગેંગે દ્વારા એક કરોડની ઉઘરાણીનો હવાલો રાખવામાં આવ્યો હતો. જેના માટે જેલમાંથી જ માણસો મોકલવામાં આવી ધમકાવામાં આવતા હતા. ગોંડલ પોલીસે નિખિલ મોબાઇલના ત્રણ દુકાનદારો સહિત 16 સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ત્રણ મોબાઇલ શો રુમના ધારકોએ 1 કરોડની ઉઘરાણી કઢાવવા માટે નિખિલ ગેંગને હવાલો સોંપ્યો હતો. જેલમાંથી જ આ રકમ કઢાવવા થતાં પ્રયાસ સામે આખરે ગુનો નોંધાયો છે.
ગોંડલ ગેંગના મુખ્ય સૂત્રધાર નિખિલ દોંગા સહિત સાગરિતો શક્તિ, નવઘણના નામદાર કોર્ટ દ્વારા 20 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતા. કુલ 12 આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગોંડલની નિખિલ દોંગા ગેંગ સામે ગુનો નોંધાયા બાદ કડક કાર્યવાહી સાથે તપાસ તેજ કરવામાં આવી હતી. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાય બાદ નિખિલ દોંગાની ગોંડલમાં આવેલ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની ઓફિસમાંથી હથિયાર મળી આવ્યાં હતા. જ્યારે અન્ય એક સાગરિતના ઘરેથી જૂની ચલણી નોટ મળી આવી હતી.
ગોંડલ જેલમાંથી જ ગુનાનું નેટવર્ક ખૂલતા જ CID દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જેલોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલીની જેલમાં CID દ્વારા તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો બાદ CID દ્વારે જેલોમાં જડતી કરવામાં આવી હતી. જો કે એક અહેવાલ મુજબ આ જડતી તપાસમાં CIDને કાંઇ મળ્યું નહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.