બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં સિટી બસ અકસ્માતનો કેસ, પોલીસે 3 જેટલા લોકોની કરી ધરપકડ
Last Updated: 10:06 AM, 18 April 2025
રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસમાં પોલીસ એક પછી એક લોકો સામે પગલા લઇ રહી છે.. બસ પર પથ્થરમારો કરનારા અને તોડફોડ કરનારાઓ સામે પોલીસે ગઇકાલે કેસ દાખલ કર્યો હતો જે બાદ આજે આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરની ગાંધીગ્રામ પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે.. જેમાં મનિષ સભાડ, કરણ વિશ્વકર્મા અને મહેશ શાહનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ પહેલા તો ડ્રાઇવરને માર માર્યો હતો બાદમાં કેટલાક લોકોએ બસના કાચ તોડ્યા હતા અને તોડફોડ કરી હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.. અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ લોકોને ઝડપી લીધા.. ત્રણેય સામે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભાજપના નેતાની ગુંડાગીરી! ત્રણ વ્યક્તિને માર મારતા એકની હાલત ગંભીર, જુઓ વીડિયો
ADVERTISEMENT
જો કે નવાઇની વાત તો એ છે કે પોલીસે તોડફોડ કરનારા લોકોની ધરપકડ કરી, ડ્રાઇવર સામે પણ એક્શન લીધા પરંતુ હજુ સુધી બસ સંચાલન કરનાર એજન્સી સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. સીટીબસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવે છે છતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઇ અધિકારી સામે તપાસના આદેશ અપાયા નથી માત્ર બેઠકોનો દોર કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.