અશાંતધારો લાગૂ ન હોવાથી અનેક મકાનો વેચાઇ રહ્યાં છે. હવે રાજકોટના ભક્તિનગરમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણ પૂ્ર્વે કલેક્ટરની મંજૂરી જરૂરી
રાજકોટમાં વધુ એક વિસ્તારમાં અશાંતધારો
ભક્તિનગર પો. સ્ટેશન અશાંતધારામાં
વર્ષ 2026 સુધી અશાંતધારો લાગુ કરાયો
ઘણા સમયથી રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો અમલી કરવાની માંગ તીવ્ર બની હતી. ત્યારે આજે રાજકોટ વાસીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધુ એક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
વર્ષ 2026 સુધી રાજકોટના ભક્તિનગર પો. સ્ટેશન વિસ્તારમાં અશાંતધારો લાગુ
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હવે કોઈ પણ પ્રોપર્ટીની લે વેચ કરવી હશે તો પહેલા ક્લેક્ટરની મંજૂરી લેવી પડશે. એટલે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં વર્ષ 2026 સુધી અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.
કઈ કઈ સોસાયટીમાં અશાંત ધારો લાગુ થયો?
તિરૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી
મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર
કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તારમાં
વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, પુનીત સોસાયટીમાં
પટેલ નગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી
પરસાણા સોસાયટી, નવદુર્ગા સોસાયટી
રાધાકૃષ્ણ નગર, મારૂતિ નગરમાં
અશાંત ધારા એટલે શું?
જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
અશાંતધારાથી કોમી વૈમનસ્ય પર કંટ્રોલ
કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી. જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો. તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા. કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી.