વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ એરપોર્ટનું ખાતમુહૂ્ર્ત કર્યુ હતુ. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એરપોર્ટનું કામ રિલાયન્સ ઈન્ફ્રાને મળ્યુ હતુ. જોકે કંપનીએ સમયસર જરૂરી રકમ ન ભરતા કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. રાજકોટનું નવુ એરપોર્ટ બાંધવા માટે દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કર્યુ હતુ ખાતમુહૂ્ર્ત
જમીન સંપાદન મામલે અવઢવ
એરપોર્ટ ઓથોરિરટીએ કોન્ટ્રાક્ટ રદ્દ કરવો પડ્યો હતો
ભોપાલની કંપની દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ અપાયો છે.આ કંપનીને 30 મહિનામાં 570 કરોડના ખર્ચે કામ પૂર્ણ કરવાનું રહેશે. રાજકોટ માટેના અત્યંત મહાત્વાકાંક્ષી એવા હિરાસર એરપોર્ટ આડે વધુ એક વખત અંતરાય આવ્યો છે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના બાંધકામ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાકટ અપાયેલો, પરંતુ એ કંપની કામ શરુ જ નહિ કરી શકતાં તેનો કોન્ટ્રાકટ રદ્દ કરીને હવે નવેસરથી ટેન્ડરિંગ કરવાની નોબત આવી પડી હતી. આના લીધે, એરપોર્ટનું કામ પાછું ઠેલાયું હતુ.
વડાપ્રધાન મોદીએ કર્યુ હતુ ખાતમુહૂ્ર્ત
વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર- 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતુ. કામ ચાલુ નહિ થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. તેમાં હવે એક ચર્ચા એવી પણ ઊઠી છે કે ફલાઈટના લેન્ડિંગ પથમાં જ ચોટીલા ડુંગરની ઊંચાઈ નડતી હોવાથી મોટી અવઢવ ઊભી થઇ હોવાની પણ ચર્ચા હતી.
જમીન સંપાદન મામલે અવઢવ
જો કે, સત્તાવાર વર્તુળોએ એનો ઇન્કાર કર્યો છે. અલબત્ત, એરપોર્ટ માટે જરૂરી એટલી જમીન રાજકોટ જિલ્લા મહેસુલી તંત્ર હજુ પૂરેપૂરી સંપાદિત નથી કરી શક્યું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હજુ 10 એકરથી વધૂ જમીન સોંપવી બાકી છે એ પણ કામ શરુ થવામાં વિલંબનું એક કારણ છે જ. જમીન સંપાદન કામગીરી પૂરી નહિ થયાનો સ્થાનિક સત્તાવાળાઓએ સ્વીકાર કર્યો છે.
એરપોર્ટ ઓથોરિરટીએ કોન્ટ્રાક્ટ રદ્દ કરવો પડ્યો હતો
હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ સાઈટના એરફિલ્ડ ગ્રાઉન્ડ લેવલિંગથી માંડીને કમ્પાઉન્ડ વોલ, રન- વે સ્ટ્રિપ, ટ્રેનિંગ પેડ્સ, ટેક્સીવેય્ઝ, એપ્રન સહિતના બાંધકામનો કોન્ટ્રાકટ જ જુલાઈના પ્રથમ સપ્તાહમાં રદ્દ કરવાની એરપોર્ટ ઓથોરિટીને ફરજ પડી છે.
અનિલ અંબાણીની એ કંપની કામ શરુ જ ન કરી શકી
પ્રથમ તબક્કામાં 900 કરોડનું કામ થવાનું છે. આ માટે એફકોન્સ, દિલીપ બિલ્ડકોન, ગાયત્રી પ્રોજેક્ટ્સ, લારસન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઇંફરાસ્ટ્રક્ચર વગેરે કંપનીઓ પૈકી રિલાયંસનું ટેન્ડર સહૂથી નીચું જણાતાં ગત માર્ચમાં તેને કોન્ટ્રાકટ અપાયો હતો અને ત્યારે એવી શરત મૂકવામાં આવી હતી કે 30 મહિનામાં કામ પૂરું કરી નાખવું. જો કે, નાણાંકીય કટોકટીમાં આવી પડેલી અનિલ અંબાણીની એ કંપની કામ શરુ જ ન કરી શકી; એટલું જ નહિ, અર્નેસ્ટ મની ડિપોઝીટ પણ ભરપાઈ કરી શકી નહોતી.
શું છે પ્રોજેક્ટ
2534 એકર જમીન પર આકાર લેશે. 1405 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચ છે. 1085 હેકટર જરૂરી જમીન પૈકી 295 હેકટર પ્રારંભિક તબક્કે જ ફાળવી દેવાઈ હતી. 797 કરોડ બાંધકામ ખર્ચ થવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો અંદાજ હતો. 648 કરોડનો કોન્ટ્રાકટ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપાયો હતો. 30 મહિનામાં બાંધકામ પૂરું કરી દેવાની ટેન્ડરમાં શરત હતી
2017માં કેન્દ્ર સરકારે પ્રોજેક્ચ મંજૂર કર્યો હતો
મે- 2017માં હિરાસર સાઈટને કેન્દ્ર સરકારની મંજૂરી મળી હતી. 7 ઓક્ટોબર- 2017 ના રોજ વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત થયુ હતુ. 10 ઓક્ટોબર 2017ના પ્રોજેક્ટને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ હતી. 9 ઓગસ્ટ 2018ના ફાયનાન્સિયલ બીડ ખૂલ્યા, રિલાયન્સ ઇન્ફ્રા.નું ટેન્ડર લોએસ્ટ આવ્યુ હતુ. 28 ફેબ્રુઆરી 2019ના પ્રોજેક્ટને નાણાંકીય બાબતોની કેબિનેટ કમિટી દ્વારા મંજૂરીની મહોર મળી હતી. માર્ચ- 2019માં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એન્જીનીયરીંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈ.પી.સી.) કોન્ટ્રાકટ અપાયો હતો.
કેવુ હશે રાજકોટનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ
એરબસ- A320 પ્રકારના એરક્રાફટ ઉતરી શકે એવો એક રન- વે હશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર પાવર સિસ્ટમ હશે. નોઇસ બેરીયર માટે એરપોર્ટ પેરીફેરીમાં ગ્રીન બેલ્ટ
તૈયાર કરાશે. હાલના એરપોર્ટ પર વાર્ષિક 4.11 લાખ મુસાફરોની અવર જવર છે જેમાં નવા એરપોર્ટથી 6.5 લાખ પેસેન્જરની અવરજવર થશે.