રાજકોટમાં વધુ એક યુવાનની હત્યા થતા શહેર પોલીસ હત્યારાને શોધવા દોડતી થઈ છે. કણકટ રોડ પાસે નેપાળી યુવાનની અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા છે.
ત્યારે યુવાનના માથા અને પગના ભાગે ઈજાના ગંભીર નિશાનો મળી આવ્યા છે. મૃતક યુવકની ઓળખ મેળવવા પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. તો FSLના અધિકારીઓ પણ આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી જાણકારી મુજબ રાજકોટ શહેરના મવડીથી કણકોટ તરફ જતાં રસ્તા પર આવેલા ઈસ્કોન મંદિર નજીક અજાણ્યો યુવાન ઉ.વ.40નો મૃતદેહ પડ્યો હોવાની જાણ કોઇ રાહદારીએ કંટ્રોલ રૂમને કરતા કંટ્રોલ ઈન્ચાર્જે આ માહિતી પોલીસને આપી હતી.
આ મામલાની જણ તાલુકા પોલીસ મથકના પી.આઈ વી.એસ.વણઝારાને થતાં તેઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા યુવાનને છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું હતુ. હાલ સ્થાનિક પોલીસે મૃતદેહને ફોરેન્સીક લેબમાં પીએમ માટે મૃતદેહને ખસેડી આ હત્યાના પુરાવાઓ શોધવા મથામણ હાથ ધરી છે.