નવરાત્રી વેકેશન મામલે સરકારના પરિપત્રનો રાજકોટની શાળાઓએ વિરોધ નોંધાવ્યો છે. રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો છે અને આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને મળીને રાજકોટની શાળાના સંચાલકો રજૂઆત કરશે.
શાળા સંચાલકોનો દાવો છે કે, નવરાત્રી વેકેશનથી બાળકોના શિક્ષમ પર અસર થઈ શકે છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ રાજકોટના સંચાલકોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.